Dakshin Gujarat

પારડી મામાને ત્યાં રહેવા માટે આવેલી મહેસાણાની સગીર ભાણેજ ચિઠ્ઠી લખી ગુમ

પારડી (Pardi) પંથકમાં રહેતા મામાને ત્યાં મહેસાણાની સગીરા (Minor Girl) રહેવા માટે આવી હતી. જે સગીરા ગુમ (Missing) થતા મામાએ પારડી પોલીસ મથકે (Pardi Police Station) ફરિયાદ નોંધાવી હતી. મહેસાણા (Mahesana) ખાતે રહેતી એક સગીરા (ઉંવ.15) આજથી આઠ માસ પહેલા પારડી ખાતે પોતાના મામાના (Uncle) ઘરે રહેવા આવી હતી. તા.18 માર્ચ 2023 ના રોજ સગીરાના મામા નોકરી પર ગયા હોય અને મામી પણ પોતાના પિયર ગઈ હતી.

  • સગીરાએ ચિઠ્ઠીમાં લખ્યું- ‘મેં મારી મરજીથી ઘર છોડીને જતી છે, મહેરબાની કરીને મને શોધતા નહીં, મેં કોઈના સાથે નથી જતી’
  • પારડી મામાને ત્યાં રહેવા માટે આવેલી મહેસાણાની સગીર ભાણેજ ચિઠ્ઠી લખી ગુમ થતાં ફરિયાદ
  • સગીરાના મામા નોકરી પર ગયા હોય અને મામી પણ પોતાના પિયર ગઈ હતી ત્યારે બની આ ઘટના

તે દરમ્યાન સગીરાએ ચિઠ્ઠી લખી હતી કે ‘મેં મારી મરજીથી ઘર છોડીને જતી છે, મહેરબાની કરીને મને શોધતા નહીં, મેં મારી મરજીથી એકલી જ જતી છે, કોઈના પણ સાથે નથી જતી’ અંગેની ચિઠ્ઠી લખી ઘર છોડીને જતી રહેતા મામાએ ઘરની આજુબાજુ તથા સગા સબંધીઓને પૂછપરછ કરી હતી. તેમજ સગીરાના મૂળ ગામ મહેસાણા ખાતે પણ તપાસ કરતા મળી નહીં આવતા ભાણેજનું અપહરણ થયા અંગેની પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બિહારનો યુવાન ગણદેવીની સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો
નવસારી : બિહારનો યુવાન ગણદેવીની સગીરાને લગ્નની લાલચ આવી અપહરણ કરી ગયાનો બનાવ ગણદેવી પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકામાં રહેતી સગીરા ગત 11મી ફેબ્રુઆરીએ પોતાના ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. દરમિયાન તેણી પરત ઘરે નહીં આવતા પરિવારજનોએ આજુબાજુના વિસ્તારમાં તેમજ સગાં-સબંધીઓને ત્યાં તપાસ કરી હતી. પરંતુ તેણીનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. દરમિયાન સગીરાના પરિવારજનોને બિહારના શિવહર જિલ્લાના મોહનપુર ગામે રહેતો મનોજ છોટેલાલ ઠાકુર સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સગીરાના પરિવારજનોએ ગણદેવી પોલીસ મથકે મનોજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી આગળની તપાસ પી.આઈ. પી.આર. કરેણે હાથ ધરી છે.

Most Popular

To Top