Entertainment

અનુપમાના ચાહકો માટે માઠા સમાચાર, ફેન્સ મેકર્સ પર બગડ્યા, પૂછ્યું- તમે શો બંધ કેમ નથી કરતા

નવી દિલ્હી: ટેલિવિઝનમાં (Television) રોજે રોજ નવા નવા શો આવતા હોય છે પરંતુ ખૂબ જ ઓછાં એવા હોય છે જે ટૂંક જ સમયમાં લોકોનું મન મોહી લે એટલે કે લોકો શોને પસંદ કરવા લાગે. 2020માં ટીવી પર એક શો શરૂ થયો હતો જેનું નામ હતુ અનુપમા (Anupama). આ શો એવો હતો જેણે ટૂંક જ સમયમાં દર્શકોનું મન જીતી લીધું કારણકે લોકોને આ સીરિયલમાંથી કોઈક સંદેશો મળતો હતો. લાંબા સમય સુધી આ શો ટીવીનો નંબર વન શો રહ્યો છે. આ શો આવતા જ ઘરના તમામ સભ્યો ટીવી સામે ગોઠવાઈ હતા. પણ હવે એ જ ફેન્સે આ શો બંધ કરવા માટેની માગ કરી છે.

અનુપમા સીરિયલ જયારે શરૂ થઈ હતી ત્યારે તે મહિલાઓને એક મેસેજ આપતી હતી જે લોકોને ગમતું હતું. સમય જતાં તેમજ દરેક એપિસોડમાં કંઈને કંઈ અલગ બતાવતા લોકોને ઉત્સાહ હતો કે હવે આગળ શું થશે પણ હવે મેકર્સે એ વાતનો સામનો કરવો પડી રહ્યો છે કે લોકો આ શોને બંધ કરવાની માગ કરી રહ્યાં છે.

શોનો પ્રોમો જોયા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ તેના પર અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું કે આટલા મોટા બિઝનેસમેન હોવા છતાં અનુજ આવા નાના કામ કેવી રીતે કરી શકે. જયારે અન્ય એક લખ્યું કે વનરાજ પછી અનુપમા અનુજનું જીવન બગાડી રહી છે. બધા કામ છોડીને અનુજ બસ અનુપમા પાછળ દોડતો રહે છે. તેમાંથી કેટલાક લોકો કહી રહ્યા છે કે આ બધું બતાવીને સમાજમાં ખોટો સંદેશ આપવામાં આવી રહ્યો છે.

શોમાં દરરોજ ઘણા ટ્વિસ્ટ આવે છે, પરંતુ ફરી ફરીને વાર્તા અનુપમા સામે નવા પડકારો ઉભી કરે છે. અનુપમા ક્યારેક વનરાજના પરિવાર માટે રડે છે તો ક્યારેક અનુજના પરિવાર માટે. સીરિયલના લોકોને મારે એટલું જ કહેવું છે કે જો અનુપમાના આંસુ જ બતાવવાના હોય તો હવે આ શો ખરેખર બંધ કરી દેવો જોઈએ.

Most Popular

To Top