Top News

More Posts

   The Latest

Most Popular

રાજ્યમાં મંગળવારે કોરોનાના 30 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વડોદરા મનપામાં 7 કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ મંગળવારે 27 કોરોનાના દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 8,16,338 દર્દીઓ સાજા થયા છે.

તો વળી રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 199 છે. જ્યારે 193 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે, અને 06 દર્દીઓ વેલ્ટિલેટર પર છે. રાજ્યમાં મંગળવારે કોરોનાના નવા કેસમાં વડોદરા મનપામાં 7, અમદાવાદ મનપામાં 5, વલસાડમાં 4, જૂનાગઢ ગ્રામ્ય- મનપામાં 3-3, નવસારી- સુરત મનપામાં 3-3, રાજકોટ મનપા- કચ્છમાં 1-1 કેસ નોંધાયો છે.

05 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 1,204ને બીજો ડોઝ જ્યારે 18-45 વર્ષ સુધીના 29,524 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 1,90,367ને બીજો ડોઝ તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 13,254 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 68,392ને બીજો ડોઝ મળી કુલ 3,02,746 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 7,13,28,377 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.

To Top