Charchapatra

કાશ્મીરમાં નાગરિકોની હત્યા બાબતે બુધ્ધજીવીઓ ચૂપ કેમ?

કાશ્મીરમાં બિન મુસ્લિમો અને બિન કાશ્મીરીઓ પર હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. આંતકી સંગઠન દ્વારા બધાં બિનકાશ્મીરીઓને કાશ્મીર છોડી દેવાની ધમકી પણ આપવામાં આવી છે. કાશ્મીરમાં મહેનત મજૂરી કરીને પોતાનું પેટિયુ રળી ખાતા મજૂરોની છેલ્લા એક સપ્તાહથી થઈ રહેલી હત્યાઓ બાબતે દેશના કહેવાતા બુધ્ધિજીવીઓએ કેમ હોઠ સીવી લીધા છે? આ એવા બુધ્ધિજીવીઓ અને સેલિબ્રિટિઝ હસ્તીઓ છે કે જેઓએ ભૂતકાળમાં ત્રાસવાદીઓના માન અધિકારોની પણ માંગ કરી હતી, પરંતુ આજે કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની વિશેષ કરીને ગરીબ હિંદુ મજૂરોની થઈ રહેલી હત્યાઓ તેમને દેખાતી નથી! કેટલાંક ડાબેરી નેતાઓએ ભૂતકાળમાં છાશવારે માનવ અધિકારોની દુહાઈ આપીને જે તે સમયની સરકારોને બદનામ કરવાની એક પણ તક જતી કરી નહોતી તેઓ પણ આજે આ મુદ્દે ચૂપ છે! કોઈ રાજકીય પક્ષે પણ કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની થઈ રહેલી હત્યાઓ બાબતે હજુ સુધી પણ એક હરફ ઉચ્ચાર્યો નથી જે તેઓનો દંભ અને દંગી રાજરમતને ખૂલ્લી પાડે છે.
સુરત     – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top