આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીમાં સર્જનમાં ભારતીયતા વિષય પર એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બીજરૂપ વક્તવ્ય પુનરુત્થાન...
આણંદ : આણંદ શહેર પાસેથી પસાર થતાં અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ વે પર રવિવારની મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ડાકોરના બે મિત્રો...
અમેરિકાએ ચીનનાં કથિત જાસૂસી બલૂનને આકાશમાં ફૂંકી માર્યું તેને કારણે ચીન અને અમેરિકા વચ્ચેના તંગ સંબંધો વધુ તંગ બન્યા છે. ચીન દ્વારા...
દેવોની ભાષા એટલે સંસ્કૃતી. આજકાલ એને અઘરામાં અઘરી ભાષાનું સ્વરૂપ કહેવામાં આવે છે. સરકારમાં બેઠેલા શિક્ષણશાસ્ત્રીઓ પણ એને એજ રીતે ઓળખાવે છે...
સાત માર્ચ, 2017, વહેલી સવારે પચાસથી સાઇઠ હજાર લોકોએ તાપી શુદ્ધિકરણ માટે ‘રન ફોર તાપી’નું આયોજન કરીને પૂર્ણ કર્યું પછી ઘરે જઇને...
તા. 22 જાન્જુઆરી, 23ના ગુજરાતમિત્રમાં પ્રકાશિત સમાચાર મુજબ એડવર્ટાઇઝમેન્ટ અંગે સરકારે માર્ગદર્શિકા જારી કરી છે જે અન્વયે હવે સેલિબ્રિટિઝ તે વસ્તુઓનો જ...
એક દિવસ સાંજે ઇવનિંગ વોક બાદ બધા બાંકડા પર બેસીને ચાર સીનીયર સીટીઝન દોસ્તો વાતો કરી રહ્યા હતા.વાતોનો વિષય હતો રોજ ખુશ...
કાન બિચારા બિન ઉપદ્રવી અને સીધાં સાદા..! અહિંસક એવાં કે કોઈ સળી કરે તો તેની સાથે છુટ્ટા કાનની મારામારી કરવા નીચે ઉતરી...
નવી દિલ્હી: બોર્ડક ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) પહેલા ઓસ્ટ્રેલિયન ટીમને (Australian team) મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાને T20 વર્લ્ડ કપ 2021નો...
રાજકોટ: અમદાવાદ-રાજકોટ હાઈવે (Ahmedabad Rajkot Highway) પર આજે મંગળવારે સવારે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. ઈકો કાર અને ટ્રક વચ્ચે થયેલી આ...
સ્પર્ધાત્મક પરિક્ષા દ્વારા યોગ્યતા નક્કી કરીને નોકરી આપવાનો ક્રમ છેલ્લાં વર્ષોમાં ચાલ્યો છે અને આવી રોજગારલક્ષી સ્પર્ધાત્મક પરિક્ષાનું પેપર ફૂટવાની ઘટના પણ...
એક સમય હતો કે ગૂગલ, માઇક્રોસોફ્ટ, એપલ જેવી મોટી ટેક કંપનીઓને બખ્ખા હતા. તેમની કમાણી એટલી મબલખ હતી કે તેઓ નાણાના ઢગલા...
નવી દિલ્હી: તુર્કીમાં (Turkey) ભૂકંપના (Earthquake) કારણે તબાહી મચી ગઈ છે. 24 કલાકમાં પાંચ વાર ભૂકંપના ઝાટકાને લીધે જનજીવન તહસનહસ થઈ ગયું...
ઓલપાડ (Olpad) તાલુકાનું સાયણ ગામ આજે વિકાસની (Development) દૃષ્ટિએ આગળ ધપી રહ્યું છે. જે ઓલપાડ તાલુકાનું શરૂઆતનું ગામ છે. તાલુકાથી ૧૪ કિ.મી.ના...
સુરતઃ મગોબ સ્થિત બી.આર.ટી.એસ (BRTS) ઇલેક્ટ્રિક બસ ડેપોમાં (Electric Bus Depot) ગઈકાલે સાંજે પાંચ જણા પાર્કિંગમા સેલ્ફી તથા વીડિયોગ્રાફી કરતા હતા. ડેપો...
સુરત: સુરત રેલવે સ્ટેશનને (Surat Railway Station) મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે અને જે માટેની કામગીરી શરૂ થઈ...
સુરત: ઉનાળો શરૂ થાય તે પહેલાં જ લીંબુના ભાવમાં એકાએક ધરખમ વધારો થયો છે. છેલ્લાં ત્રણ ચાર દિવસમાં લીંબુના ભાવ બે ગણા...
અઝમેરિકા: તુર્કીયે (Turkey) અને સીરિયાના (Syria) વિશાળ વિસ્તારોને આજે વહેલી સવારે ૭.૮ની તીવ્રતાના એક શક્તિશાળી ભૂકંપે (Earthquake) હચમચાવતા સેંકડો ઇમારતો પડી ગઇ...
નવી દિલ્હી : કોરોના (Corona) બાદ વધી ગયેલા હાર્ટ એટેકના કેસોને લઇ ભારતીય તબીબોએ એક અપીલ કરી છે . કયારેક હસતા, નાચતા,વાતો...
ભરૂચ: (Bharuch) ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વર ટ્રિપલ મર્ડરના વોન્ડેટ (Wanted) આરોપીને અમરેલી તેના ઘરે પહોંચીને દબોચી લીધો હતો. વોન્ટેડ આરોપી ટ્રિપલ મર્ડર...
ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે જી20ની (G20) અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે અને તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ...
નવી દિલ્હી : ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) ટેસ્ટ સિરીઝના હજુ બે દિવસ બાકી છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝ 9 ફેબ્રુઆરીના રોજ નાગપુર...
સુરત: (Surat) ‘રંગ દે બસંતી’, ‘થ્રી ઈડિયટ્સ’, ‘ગોલમાલ’ જેવી ફિલ્મોના (Film) લોકપ્રિય અભિનેતા (Actor) શરમન જોષી (Sharman Joshi) તેમની સુરત ખાતેની મુલાકાત...
રાજકોટ : સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના નાનકડા ફૂલગામ ગામમાં ટ્રિપલ મર્ડરની (Murder) ઘટના બનતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. પડોશીઓ વચ્ચે નજીવી...
ગાંધીનગર : રાજયમાં આજથી બે ગણી જંત્રીનો (Jantri) અમલ શરૂ થઈ જતાં રાજયભરના બિલ્ડર એસોસિએશનનો (Builders Association) વિરોધ નોંધાવ્યો છે. આજે રાજયભરના...
ગાંધીનગર : મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ મંગળવાર, તા.૭ ફેબ્રુઆરી અને બુધવાર તા.૮ ફેબ્રુઆરીએ કચ્છના ધોરડો-સફેદ રણ ખાતે યોજાનારી G-20 ની પ્રથમ ટુરિઝમ...
મુંબઈ: બોલિવુડમાં (Bollywood) છેલ્લાં કેટલાય સમયથી સેલેબ્સનો સમય ખરાબ ચાલી રહ્યો હોય તેવો માહોલ સર્જાયો છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે...
પલસાણા: (Palsana) પલસાણા તાલુકાના કડોદરા જીઆઇડીસી (GIDC) પોલીસ ગત સોમવારે પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમીના આધારે એક ઇસમને બાઇક (Bike) સાથે ઝડપી પાડી...
નવી દિલ્હી : પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) વૈષ્વક રોકાણ (Global Investment) કરોને ઉત્તમ તક આપીને આહવાન કર્યું છે. વિવિધ...
વલસાડ: (Valsad) વલસાડ તાલુકાના ગુંદલાવના ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં બી/308માં રહેતાં 45 વર્ષીય સંજય રઘુભાઈ વિશ્વકર્મા (મૂળ રહે. બાલુકર્હા ચૌકીયા, સીરગલ્લા નવાદા (બિહાર) તા.29...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીમાં સર્જનમાં ભારતીયતા વિષય પર એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બીજરૂપ વક્તવ્ય પુનરુત્થાન વિદ્યાપીઠના કુલાધિપતિ ઇન્દુમતિબેન કાટદરેએ જણાવ્યું હતું કે, વેદો અને શાસ્ત્રોમાં કહેલી વાતો લોકો સુધી પહોંચાડવાની જવાબદારી વિવિધ માધ્યમો થકી સાહિત્યની છે. લોકો માંગે તે આપવું એ સર્જકનો ધર્મ નથી, પરતું લોકો માંગતા થાય એવું લખવું. તેઓએ સાહિત્યમાં કેવી રીતે ભારતીય દ્રષ્ટિકોણ રહેલો છે તે વિષે ઉદાહરણ આપી સમજાવ્યું હતું.
આ પ્રસંગે ઇન્દુમતિબહેન કાટદરેએ જણાવ્યું હતું કે, ભારતને તેની રાજકીય પરાધીનતા કરતાં વધુ તેની વૈચારિક પરાધીનતાએ ત્રસ્ત કર્યું છે. આક્રાંતાઓ આપણને અભારતીય બનાવવા માટે અનેક પ્રયત્નો કર્યા અને તેના જ એક ભાગરૂપે ભારતની વાર્તાઓને પણ તેમણે ઝેર પીવડાવ્યું છે. પરિણામ સ્વરૂપે શરીરથી ભારતીય પરંતુ માનસિક રીતે અભારતીય એવા ભારતીયોનો જન્મ થયો. સર્જક પોતાના સર્જનમાં રાષ્ટ્રનિર્માણ કરવાના ભાવથી સર્જન કરે તે અપેક્ષિત છે. જે રાષ્ટ્ર હિત, લોક હિત, સમાજ હિતમાં નથી તે લખવું એ વાત ભારતીય સર્જક માટે શક્ય જ નથી. તેથી જ તો સર્જકોમાં ભારતીયતાનું નિર્માણ અત્યાવશ્યક છે. આપણે તો એ દેશના છીએ જ્યાં જ્ઞાનને પરંપરામાં માનવામાં આવે છે.
જ્યાંના અક્ષર, લિપિ, ઉચ્ચારણ વગેરે તમામ બાબતોમાં વૈજ્ઞાનિકતા સમાવિષ્ટ છે, તેવા ભારતના આપણે ભારતીય છીએ. તે આપણા માટે સૌથી વધુ ગૌરવપ્રદ બાબત છે. આ વૈજ્ઞાનિકતાને આધારે નિર્મિત એવા વિશ્વકલ્યાણક ભારતીય વિચારને સર્જકોના સર્જનમાં ઉતારવાથી આપણી આગામી પેઢીઓને ઔપનિવેશિક(વસાહતી) માનસિકતાથી મુક્ત કરવામાં ચોક્કસ સફળ થઈ શકાશે. આ વાત ધ્યાનમાં રાખીને જ સાહિત્ય, કટાર-સ્તંભ વગેરે તમામ પ્રકારનું અને સાથે જ બ્લોગ વગેરે જેવાં સામાજિક માધ્યમોમાં પણ નિયમિત લેખનકાર્ય કરનારા સર્જકો સાથે સર્જનમાં ભારતીયતાની આવશ્યકતા અને તે કેવી રીતે દાખલ કરવી તેના સંદર્ભમાં ચર્ચા-વિચારણા અને સંવાદ સ્થાપિત કરવાના હેતુથી જ ‘ભારતીય વિચાર મંચ’ દ્વારા આ કાર્યશાળા આયોજિત કરવામાં આવી હતી.
વિચાર મંચ દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમીઅને સરદાર પટેલ યુનિવર્સિટીના સહયોગથી એક દિવસીય કાર્યશાળા ‘સર્જનમાં ભારતીયતા’નું આયોજન એમ. પી. પટેલ સભાગૃહ ખાતે કરવામાં આવ્યું હતું. ભારતીય વિચાર મંચ, આણંદ એકમના અધ્યક્ષ ડો. રાજેશભાઇ પરીખ ઉપસ્થિત રહ્યા હતાં. પ્રો. નીરંજન પટેલે યુનિવર્સિટીમાં આગામી સમયમાં ભારતીય જ્ઞાન પરંપરા માટે કોઈ પણ કાર્યક્રમ યોજવા માટે તૈયારી દર્શાવી સેમિનારની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
કોઈપણ દેશને ઝેર આપવું હોય તો તેની વાર્તાઓને ઝેર આપવું જોઈએ
નાઈજિરિયન મૂળના નવલકથાકાર બેન ઓકરીએ જયપુરના લિટરેચર ફેસ્ટિવલમાં એક ત્વપૂર્ણ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે કોઈપણ દેશને ઝેર આપવું હોય તો તેની વાર્તાઓને ઝેર આપવું જોઈએ. દેશ – રાષ્ટ્રની રચના સંસ્કૃતિને આધારે થતી હોય છે. તેથી જ તો ભારતે હજારો વર્ષના ઇતિહાસમાં હંમેશાં ભૌગોલિક અને રાજકીય સીમાઓથી દૂર રહીને વિશ્વને આર્ય – સુસંસ્કૃત બનાવવા માટે પહેલ કરી. તેથી જ તો દક્ષિણ અમેરિકાથી માંડીને પાપુઆ ન્યૂગિની સુધી ભારતીય જ્ઞાનપરંપરાની મિઠાશ મહેતી આપણને જોવા મળે છે.