Sports

મુંબઇ ઇન્ડિન્સ આજે જીતની લય જાળવી રાખવાના ઇરાદે પંજાબ કિંગ્સ સામે મેદાને ઉતરશે

મુંબઇ : હંમેશાથી ધીમી શરૂઆત કરતી આવેલી મુંબઇ ઇન્ડિયન્સની (MI) ટીમ આવતીકાલે શનિવારે જ્યારે આઇપીએલમાં (IPL) ડબલ હેડરની બીજી મેચમાં સાંજે 7.30 વાગ્યે વાનખેડે સ્ટેડિયમ પર પંજાબ કિંગ્સ (PBKS) સામે મેદાને ઉતરશે ત્યારે તેમનો ઇરાદો પોતાની જીતની લય જાળવી રાખવાનો રહેશે.

પહેલી બે મેચમાં હાર સાથે કંગાળ શરૂઆત કરનારી મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં 6 પોઇન્ટ સાથે છઠ્ઠા ક્રમે બેઠી છે. તેની સામે નિયમિત કેપ્ટન શિખર ધવનની ઇજાને કારણે મુશ્કેલીમાં મુકાયેલી પંજાબ કિંગ્સ પોઇન્ટ ટેબલમાં 7મા ક્રમે છે. શિખર ધવન આવતીકાલની મેચમાં રમવા ઉતરે તેવી સંભાવના છે. ધવને અત્યાર સુધી પંજાબ કિંગ્સ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે અને આવતીકાલની મેચમાં જો તે રમશે તો તેનાથી પંજાબ કિંગ્સનો પાવર વધી જવાની સંભાવના છે.

Most Popular

To Top