Charchapatra

માનવતા જ શ્રેષ્ઠ ધર્મ છે

આપણે અમૃતપુત્રો છીએ. સાચા અર્થમાં માનવ છીએ. ‘માનવતા’ સિવાય આપણો કોઈ ધર્મ નથી. ‘સમભાવ’ કેળવી આપણે સૌ મિત્રભાવે રહીએ.  કોઈ વૃક્ષો કે ફૂલછોડ અરસપરસ ઝઘડો કરતાં નથી! પ્રકૃતિ જ આપણને મૈત્રીભાવ કેળવવાનું શીખવે છે. જ્ઞાતિ-જાતિ, ઉચ્ચ-નીચના ભેદભાવો સાચા ‘માનવ’ બની દૂર કરીશું તો જ આ વસુંધરા પર શાંતિનો કલરવ સાંભળવા મળશે.  ‘બંદગી’ અને ‘હનુમાનચાલીસા’ માટે અવાજ ફેલાવવાની જરૂર નથી જ ! ભગવાન અને અલ્લા કાંઈ બહેરા નથી જ!  પોલ ટેલિએ સાચે જ લખ્યું છે.  ‘ધર્મ  સંસ્કારનો સાર છે  સંસ્કાર એ જ  ધર્મનું સ્વરૂપ છે!’  પ્રાણી-પશુઓ અને માણસને એકસાથે રહેવાનો અબાધિત અધિકાર છે.  એક જ વૃક્ષ પર અનેક પંખીઓ એક જ ડાળ પર વસવાટ કરે છે. પંખી પાસેથી આપણે કંઈક શીખવું જોઈએ.  બુદ્ધિનો સદુપયોગ કરીએ. દુરુપયોગ કદી નહીં કરીએ, તો ને તો જ આ વસુંધરા પર યુદ્ધનો રાક્ષસ જરૂર નાશ પામશે જ.
સુરત     – રમેશ પટેલ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top