Gujarat

નગરપાલિકાઓમાં નવી ભરતી માટે હવે વાંધા સૂચનો મંગાવાશે નહીં

ગાંધીનગર : રાજ્યની નગરપાલિકાઓમાં (Nagarpalika) ભરતી, સેવાની શરતો માટેના નિયમો ઘડવામાં થતાં વિલંબને અટકાવી તેમાં વધુ ઝડપ લાવવા માટે જાહેર જનતા- વ્યક્તિઓ પાસેથી વાંધા અને સૂચનો મંગાવવાની જોગવાઈ રદ કરવામાં આવે છે. આજે ગુજરાત (Gujarat) વિધાનસભામાં ગુજરાત નગરપાલિકા (સુધારા) વિધેયક- 2022 ગુજરાત વિધાનસભામાં પસાર કરાયુ હતું.

વિધાનસભામાં આ વિધેયકની ચર્ચાનો જવાબ આપતા શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદ મોરડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 47 અને 47 ‘ક’ હેઠળ કોઈ જગ્યા માટેના ભરતીના નિયમો, પરીક્ષાના નિયમોમાં અને સેવાની શરતો માટેના બીજા ખાતાકીય નિયમો વગેરે જાહેર જનતા એટલે કે વ્યક્તિઓ પાસેથી આ અંગેના વાંધા- સૂચનો મંગાવવામાં આવતા હતા. જેના કારણે સમગ્ર પ્રક્રિયામાં ખૂબ વિલંબ થતો હોવાથી તથા નગરપાલિકામાં વિકાસ કાર્યો તેમજ ભરતીની સમગ્ર પ્રક્રિયા થઈ શકતી ન હતી.

આ સુધારા વિધેયક પસાર થવાથી કોઈ જગ્યા માટેનાં ભરતી નિયમો પરીક્ષા નિયમો અને સેવાની સેવાની શરતો તેમજ બીજા નિયમો વગેરે માટે પૂર્વ પ્રસિદ્ધિ એટલે એટલે કે જાહેર જનતા પાસેથી વાંધા સૂચનો મંગાવવાની જરૂર રહેતી નથી. આ કલમથી મળેલી નિયમો નક્કી કરવાની સત્તા પૂર્વ પ્રસિદ્ધિ પછી નિયમો કરવાની શરતને આધીન રહેશે.પરંતુ રાજ્ય સરકારને ખાતરી થાય કે તાત્કાલિક પગલું લેવું જરૂરી હોય તેવા સંજોગો પ્રવર્તે છે, તો તે આ કલમ હેઠળ કરવાના કોઈપણ નિયમની પૂર્વ પ્રસિદ્ધિ વિના ચલાવી શકશે.

Most Popular

To Top