Gujarat

રાષ્ટ્રીય મતદાતા દિવસે રાજ્યપાલે ‘અચૂક મતદાન’ના શપથ લેવડાવ્યા

ગાંધીનગર : આજે રાષ્ટ્રીય મતદાતા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન પરિવારના સૌ સભ્યોને મતાધિકારનો અચૂક ઉપયોગ કરવાના શપથ લેવડાવ્યાં હતાં.

ભારતીય ચૂંટણી પંચની સ્થાપનાનો દિવસ ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ તરીકે ઉજવાય છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે રાજભવન પરિસરમાં શપથ લેવડાવ્યા હતા કે, ‘અમે ભારતના નાગરિકો લોકશાહીમાં પૂર્ણ શ્રદ્ધા સાથે શપથ લઈએ છીએ કે, અમે આપણા દેશની લોકશાહી પરંપરાની જાળવણી કરીશું તથા સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીની ગરિમાનું જતન કરતાં કરતાં નિર્ભિત થઈને ધર્મ-વર્ગ-જાતિ-સમુદાય-ભાષા કે કોઈપણ પ્રલોભનથી પ્રભાવિત થયા વિના તમામ ચૂંટણીઓમાં અમારા મતાધિકારનો અચૂક ઉપયોગ કરીશું.’ આજે ભારત 13 મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવી રહ્યું છે.

Most Popular

To Top