National

બરફના તોફાનના કારણે જમ્મુ-કાશ્મીરમાં સેનાના ત્રણ જવાન શહીદ

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) માછિલ વિસ્તારમાં ફરજ પર હતા ત્યારે સેનાના ત્રણ જવાન બરફના તોફાનની (Snow storm) ઝપેટમાં આવી ગયા હતા. ત્રણેય જવાનો શહીદ (Death) થયાના સમાચાર છે. ત્રણેય સેનાના જવાનો 56 રાષ્ટ્રીય રાઈફલ્સના હતા. ત્રણેય જવાનોના મૃતદેહને (Death Body) બહાર કાઢવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હિમાલયના વિસ્તારોના ભાગોમાં ધણીવાર બરફના તોફાનો થાય છે. આ બરફના તોફાનો ઘણીવાર લોકો માટે જીવલેણ સાબિત થતા હોય છે.

Most Popular

To Top