Gujarat

રાજ્યના કોરોનાના 228 નવા કેસ, વધુ પાંચનાં મોત

રાજ્યમાં કોરોનાના નવા કેસની સંખ્યા ઘટી રહી છે. આજે રાજ્યમાં નવા 228 કેસ નોંધાયા છે. જ્યારે આજે વધુ 5 દર્દીનાં મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 10,028 પર પહોંચ્યો છે. રાજ્યમાં અમદાવાદ ગ્રામ્ય, અરવલ્લી, ભાવનગર મનપા, છોટાઉદેપુર, દાહોદ અને ડાંગ જિલ્લામાં એકપણ નવો કેસ આજે નોંધાયો નથી.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 40, સુરત મનપામાં 30, વડોદરા મનપામાં 13, રાજકોટ મનપામાં 18, ગાંધીનગર મનપામાં 02, જામનગર મનપામાં 05 અને જૂનાગઢ મનપામાં 02 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 14, વડોદરા ગ્રામ્યમાં 08, જૂનાગઢ ગ્રામ્યમાં 12, ભરૂચમાં 06, રાજકોટ ગ્રામ્યમાં 02, વલસાડમાં 06, અમરેલીમાં 04, નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટીને 6,579, થઈ છે. 173 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે, અને 6,406 દર્દીઓ સ્ટેબલ છે.

રાજ્યમાં કુલ 05 દર્દીનાં મોત થયા છે. જેમાં અમદાવાદ મનપામાં 1, સુરત મનપા અને ગ્રામ્ય, ગાંધીનગર ગ્રામ્ય, મહિસાગરમાં 1-1- કુલ 05 દર્દીનાં મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 10,028 થયો છે. આજે 874 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 8,05,542 દર્દીઓ સાજા થયા છે. આજે 3,24,615 વ્યકિતઓને રસી આપવામાં આવી છે

18 થી 45 વર્ષ સુધીના 1,82,207 વ્યકિતઓને પ્રથમ ડોઝ અને 1,510 વ્યક્તિને બીજો ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 58,306 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 38,730 વ્યક્તિને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 2,18,71,920 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top