National

કોરોનાની પોઝેટિવ ઈફેક્ટ : અંકલેશ્વરના પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો

હાલ અંકલેશ્વર-પાનોલીમાં કોરોનાને કારણે ઓદ્યોગિક એકમોમાં પ્રોડક્શન ધીમુ પડી ગયું છે. હાઈવે પર વાહન-વ્યવહાર મર્યાદિત ચાલી રહ્યો છે. ધમધમતા મુખ્ય માર્ગો સુમસામ થઈ ગયા છે. માનવજીવ કેદ અવસ્થામાં છે ત્યારે સારા સમાચાર એ છે કે અંકલેશ્વરના વાતાવરણમાં પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરમાં પ્રદૂષણ એકદમ ઘટી ગયું છે અને શહેરની હવા શુદ્ધ બની રહી છે, હાલના સમયમાં શહેરનો એર કવોલિટી ઈન્ડેક્સ નોંધપાત્ર ઘટ્યો છે.

આ વર્ષ ૨૦૨૧માં જે એર ક્વોલિટિ ઈન્ડેક્સ 200થી 312 સુધી જોવા મળતું હતું. જે પ્રદૂષિત વાતાવરણની વ્યાખ્યામાં આવતું હતું. હવે તે ક્રમશ ઘટતું જ ગયું છે. તારીખ ૧૪-૦૪-૨૧ના રોજ દિવસ ૧૨૪ એ.ક્યુ.આઈ. (એર ક્વોલિટિ ઈન્ડેક્સ ) હતું, જે ૧૭-૦૪-૨૧ ના રોજ ઘટી ૮૪ એ.ક્યુ.આઈ નોંધાયું હતું. આમ આ વર્ષ ૨૦૨૧માં પહેલી વખતે ૧૦૦ AQI થી નીચે આવ્યું છે. જે સંતોષકારકની વ્યાખ્યામાં આવે છે. આમ AQIના આંકડાઓ જોતા કહી શકાય કે શહેરના એર ક્વોલિટી મોટો સુધારો થઇ ગયો છે.

પ્રદૂષણ નિયંત્રણ માટે કામ કરતી સંસ્થાઓ માટે અધ્યયન કરવાનો આ સમય છે
પ્રકૃતિ સુરક્ષા મંડળે જણાવ્યું હું કે ગત વર્ષે 2020માં પણ એપ્રિલ, મે, જુન અને જુલાઈમાં લોકડાઉનને કારણે પ્રદૂષણ ઘટ્યું હરતું. પ્રદૂષણ નિયંત્રણ માટે કામ કરતી સંસ્થાઓ જીપીસીબી, સીપીસીબી તેમજ સેપીએ પ્રદૂષણની આ પરિસ્થિતિના આકડાઓનું અધ્યયન કરવું જોઈએ, આ આંકડા તેમના રેકર્ડમાં રાખવા જોઈએ અને ભવિષ્યમાં પ્રદૂષણ આંકની ગણતરી વખતે આ આંકડા ધ્યાને લેવા જોઈએ”.

Most Popular

To Top