National

ભાજપના ધારાસભ્યએ પોલીસ સ્ટેશનમાં શિંદે જૂથના નેતાને 6 ગોળી મારી

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharashtra) ઉલ્હાસનગરમાં શુક્રવારે મોડી રાત્રે ભાજપના ધારાસભ્ય ગણેશ ગાયકવાડે કથિત રીતે શિવસેનાના નેતા મહેશ ગાયકવાડને ગોળી (Firing) મારી દીધી હતી. આ ગોળીબાર હિલ લાઇન પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીની કેબિનની અંદર થયો હતો. જ્યાં બે રાજકારણીઓ અને તેમના સમર્થકો લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદ અંગે ફરિયાદ નોંધાવવા માટે આવ્યા હતા. ત્યાર બાદ પોલીસે તરત જ આરોપી ધારાસભ્યને કસ્ટડીમાં લીધા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને શિવસેના શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ વચ્ચે જમીનને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને કારણે બંને નેતાઓ અને તેમના સમર્થકો હિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ભેગા થઈ ગયા હતા. દરમિયાન બંને જૂથો વચ્ચેની વિવાદે જોર પકડ્યું હતું અને ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે શિવસેના શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર ગોળી ચલાવી દીધી હતી.

આ ગોળીબારમાં મહેશ ગાયકવાડ અને શિંદે સમર્થક રાહુલ પાટીલ ખરાબ રીતે ઘાયલ થયા હતા. તેમજ તેમને તાત્કાલિક સારવાર માટે 11 વાગ્યે ઉલ્હાસનગરની મીરા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમની હાલત નાજુક બનતા બંને નેતાઓને થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સૂત્રોનું માનીએ તો ધારાસભ્ય ગણપત ગાયકવાડે મહેશ પર કુલ ચાર ગોળી મારી હતી.

આરોપી MLAનો મોટો દાવો
ફોન પર એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ગણેશ ગાયકવાડે કહ્યું કે આ ઘટના પર કોર્ટ જે પણ નિર્ણય લેશે તે સ્વીકારશે. તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સામે ભ્રષ્ટાચારના આરોપો પણ લગાવ્યા અને કહ્યું કે શિવસેનાના વડાના શાસનમાં ગુનાઓ વધ્યા છે. ગાયકવાડે એવો પણ આક્ષેપ કર્યો હતો કે એકનાથ શિંદે ભાજપ સાથે ‘દગો’ કરશે.

ભાજપના ધારાસભ્યએ કહ્યું, “એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને છેતર્યા અને તે જ રીતે ભાજપને છેતરવા જઈ રહ્યા છે. એકનાથ શિંદેએ મારી પાસેથી પણ લાખો રૂપિયા પડાવી લીધા છે. આ ઘટના અંગે કોર્ટ જે પણ નિર્ણય લેશે તે હું સ્વીકારીશ આવશે.”

જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો હતો
આ ઘટના બાદ મહેશ ગાયકવાડના સમર્થકો રોષે ભરાયા છે અને સમગ્ર હોસ્પિટલ તેમના સમર્થકોથી ભરેલી છે. પ્રાથમિક માહિતી મુજબ શિવસેનાના રાહુલ પાટીલને પણ ગોળી વાગી હતી. મહેશને પેટ અને અન્ય અંગોમાં ચાર ગોળી વાગી હતી.

Most Popular

To Top