National

દિલ્હી MCD લડાઈનો અખાડો: AAP અને BJP વચ્ચે છૂટ્ટાહાથની મારામારી

નવી દિલ્હી: દિલ્હી (Delhi) MCD જાણે લડાઈનો અખાડો બની ગયો છે. સ્થાયી સમિતિની ચૂંટણી (Election) માટે મતદાન થયું હતું તે સમયે મારામારી થઈ હતી પરંતુ શુક્રવારે ફરી એકવાર એવો હોબાળો મચ્યો હતો કે AAP અને ભાજપના (BJP) કોર્પોરેટરો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી. શુક્રવારે દિલ્હીના MCD સદનમાં જે લડાઈ થઈ હતી તે ખૂબ જ શરમજનક છે. MCDના ઈતિહાસમાં બની શકે કે આજના દિવસને કાળા દિવસથી ઓળખવામાં આવે. કાઉન્સિલરો એકબીજા સાથે લડી રહ્યા હતા. તેઓ એકબીજાના વાળ ખેંચી રહ્યા હતા. તેમજ જોનાર એમ કહી શકે કે MCD એ ઘર નથી પણ યુદ્ધનું મેદાન છે.

ગૃહની કાર્યવાહી 27 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. 27મીએ જ સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી યોજાવાની વાત ચાલી રહી છે. પરંતુ તેને રોકવા માટે ભાજપ આવતીકાલે કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યું છે. પાર્ટીએ તો એવી પણ માંગ કરી છે કે આ હંગામાની સીબીઆઈ તપાસ થવી જોઈએ. તેણે તેને MCD ઈતિહાસનો કાળો અધ્યાય ગણાવ્યો છે.

આમ આદમી પાર્ટીએ પણ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી છે. AAP નેતા આતિશીએ કહ્યું છે કે સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીની મતગણતરી શાંતિપૂર્ણ રીતે થઈ હતી, પરંતુ જ્યારે તેમને લાગ્યું કે તેઓ ચૂંટણી હારી રહ્યા છે ત્યારે BJPના કાર્યકર્તાઓએ મહિલા મેયર પર હુમલો કર્યો. મેયરે જીવ બચાવવા માટે ઘરમાંથી ભાગવું પડ્યું હતું. ઘરની બહાર પણ પુરૂષ કાઉન્સિલરોએ તેણી પર શારીરિક હુમલો કર્યો હતો. તેઓએ કહ્યું ભાજપ પોતાની હાર સ્વીકારી રહ્યી નથી. પુરુષ કાઉન્સિલરોએ સ્ટેજ પર જઈને મહિલા મેયર પર હુમલો કર્યો હતો.

કોર્પોરેટર કમલા માર્કેટ પોલીસ સ્ટેશનમાં વિરોધ કરી રહ્યા છે. ભાજપ કોર્પોરેટરો સામે ફરિયાદ દાખલ કરવાની માંગ કરી રહી છે. ભાજપ કાનૂની માર્ગ અપનાવી રહી છે અને આવતીકાલે કોર્ટમાં અરજી કરવા જઈ રહી છે. એટલે કે, બંને પક્ષો તરફથી ફુલ-ઓન હોબાળો છે અને ચૂંટણી ફરી મોકૂફ થઈ શકે છે.

MCD લડાઈનો અખાડો કેવી રીતે બન્યો
શુક્રવારે MCD હાઉસમાં સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી માટે લંચ બ્રેક પહેલાં મતદાન થયું હતું, જેમાં 250 કાઉન્સિલરોમાંથી 242 લોકોએ મતદાન કર્યું હતું. કોંગ્રેસના 9 કાઉન્સિલરોમાંથી 8 કાઉન્સિલર ગેરહાજર રહ્યા હતા. એક કોર્પોરેટરે શીતલ વેદપાલને મત આપ્યો હતો. બપોરના ભોજન બાદ ચૂંટણી પંચના પ્રતિનિધિઓએ મતગણતરી કરી હતી, જેમાં 6 બેઠકોમાંથી ભાજપના ઉમેદવારો અને 3 બેઠકો પર AAPના ઉમેદવારો વિજયી જાહેર થયા હતા. પરંતુ આ દરમિયાન મેયર શેલી ઓબેરોયે ભાજપના કોર્પોરેટરનો 1 મત અમાન્ય જાહેર કર્યો હતો અને રિકાઉન્ટિંગનો આદેશ કર્યો હતો. અહીંથી હંગામો શરૂ થયો હતો.

મેયરે પરિણામ પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારથી ગૃહમાં હોબાળો શરૂ થયો હતો. મેયરના આ નિર્ણય સામે ભાજપના કાઉન્સિલરો વિરોધ કરી રહ્યા હતા તેમજ આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો પણ તેમનો વિરોધ કરી રહ્યા હતા. તેઓ વચ્ચેનું આ શાબ્દિક યુદ્ધ ક્યારે લડાઈમાં ફેરવાઈ ગયું તેની કોઈને ખબર પણ ન પડી હતી. તેમજ આ કોપોર્રેટો પણ આવી રીતે લડી શકે તે પણ કોઈએ કલ્પના કરી ન હોય.

જાણો વિવાદ શાના માટે સર્જાયો
બેલેટ પેપરમાં 1, 2, 3ના બદલે 1, 2, 2 ભરવાને લઈને સમગ્ર વિવાદ સર્જાયો હતો. સ્ટેન્ડિંગ કમિટીના તમામ બેલેટ પેપરમાં ભાજપના સભ્ય ઉમેદવાર પંકજ લુથરાની આગળ 1, કમલજીત શેહરાવતની સામે 2 અને ગજેન્દ્ર સિંહ દરાલની આગળ 2 લખેલું હતું. અધિકારીઓ દ્વારા મતની ગણતરી કરવામાં આવે હતી પણ મેયર તેને અમાન્ય જાહેર કર્યા હતા.

આ હંગામા વચ્ચે AAPના કાઉન્સિલર અશોક કુમાર મનુ ચક્કર આવતાં ગૃહમાં નીચે પડી ગયા હતા. તેને તેના સાથી કાઉન્સિલરોએ ઉઠાવ્યો અને ટેબલ પર સુવડાવીને પોતે પ્રાથમિક સારવાર આપવાનું શરૂ કર્યું.

Most Popular

To Top