Sports

રોહિત શર્માની નારાજગી બાદ IPlના આ નિયમ અંગે BCCIના સેક્રેટરી જય શાહની મોટી જાહેરાત

નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની છેલ્લી સીઝન એટલે કે આઈપીએલ 2023માં ‘ઈમ્પેક્ટ પ્લેયર રૂલ’ ઈન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતો, પરંતુ હવે આ નિયમ સામે પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓને આ નિયમ પસંદ નથી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ આ નિયમ પર સવાલ ઉઠાવ્યા હતા.

હવે આ નિયમ આગામી સિઝન એટલે કે IPL 2024થી ખતમ થઈ શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે આ અંગે મોટું નિવેદન આપ્યું છે. શાહે કહ્યું છે કે IPLમાં ‘ઈમ્પેક્ટ પ્લેયર રૂલ’ એક પ્રયોગ તરીકે લાગુ કરવામાં આવ્યો હતો અને જો તમામ ટીમ અને ખેલાડીઓ ઈચ્છે તો તેના પર પુનર્વિચાર કરી શકાય છે.

‘ઈમ્પેક્ટ પ્લેયર રૂલ’ના કારણે આ વખતે આઈપીએલમાં આઠ વખત સ્કોર 250થી વધુ હતો. ખેલાડીઓ, કોચ અને નિષ્ણાતોએ પણ કહ્યું છે કે આ નિયમની બોલરોના પ્રદર્શન પર પ્રતિકૂળ અસર પડી રહી છે. કારણ કે તેનાથી ટીમોને વધારાના બેટ્સમેન મળી રહ્યા છે. રોહિત શર્માએ કહ્યું હતું કે આ નિયમને કારણે ઓલરાઉન્ડરોને બોલિંગ કરવાની તક નથી મળી રહી.

BCCI ઓફિસમાં મીડિયા સાથે વાત કરતા જય શાહે કહ્યું, ‘ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ પ્રયોગ તરીકે લાગુ કરવામાં આવ્યો હતો. જો કે, આનાથી બે ભારતીય ખેલાડીઓને રમવાની વધારાની તક મળી રહી છે. શું આ અગત્યનું નથી? રમત પણ વધુ સ્પર્ધાત્મક બની રહી છે.

શાહે કહ્યું કે T20 વર્લ્ડ કપ પછી તમામ ટીમ સાથે મળીને આ અંગે ચર્ચા કરાશે. જો ખેલાડીઓને લાગે છે કે આ યોગ્ય નથી તો અમે તેના વિશે વાત કરીશું. હજુ સુધી કોઈએ આવું કંઈ કહ્યું નથી. આઈપીએલ અને વર્લ્ડ કપ બાદ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. વર્લ્ડ કપ પછી અમે ખેલાડીઓ, ટીમો અને બ્રોડકાસ્ટર્સને મળીશું અને ભવિષ્ય વિશે નિર્ણય લઈશું. આ કાયમી નિયમ નથી અને હું એમ પણ નથી કહેતો કે અમે તેને નાબૂદ કરીશું.

ભારતીય ખેલાડીઓને આરામની જરૂર નથીઃ શાહ
જય શાહે એમ પણ કહ્યું કે T20 વર્લ્ડ કપ રમવા જઈ રહેલા ભારતીય ખેલાડીઓને આરામની જરૂર નથી કારણ કે સ્પર્ધા શ્રેષ્ઠ તૈયારી છે. તેમણે કહ્યું, ‘આરામની શું જરૂર છે? તે પ્રેક્ટિસ સેશન જેવું જ છે. આનાથી સારી તૈયારી કઈ હોઈ શકે? તમારી સામે એક શાનદાર ટીમ છે જેમાં એક બોલર ન્યુઝીલેન્ડનો છે, એક ઓસ્ટ્રેલિયાનો છે અને એક શ્રીલંકાનો છે. જો આપણે બોલરને આરામ આપીએ તો તેને ટ્રેવિસ હેડને બોલિંગ કરવાની તક નહીં મળે. જ્યારે જસપ્રિત બુમરાહ તેને બોલિંગ કરશે ત્યારે જ તે સમજી શકશે કે કેવી રીતે બોલિંગ કરવી.

જય શાહે કહ્યું કે બોર્ડનું ધ્યાન મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે મેચોની સંખ્યા વધારવા પર પણ છે. તેમણે કહ્યું, ‘મહિલા ક્રિકેટનું પણ પુરૂષોના ક્રિકેટની જેમ ધ્યાન રાખવામાં આવે છે. વર્લ્ડ કપ બાંગ્લાદેશમાં યોજાવાનો છે અને અમે દ્વિપક્ષીય શ્રેણી પણ રમી રહ્યા છીએ. કોહલી T20માં 400 કે તેથી વધુ સિક્સર મારનાર 20મો બેટ્સમેન છે.

Most Popular

To Top