Gujarat

રાજ્યમાં આગામી 72 કલાક ગરમીનો પ્રકોપ રહેશે, અમદાવાદ તથા સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી ગરમી

ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં ગરમીનો પ્રકોપ વધી રહયો છે. ખાસ કરીને આગામી 72 કલાક દરમ્યાન ગરમી વધવાની સંભાવના છે. આજે દિવસ દરમ્યાન રાજયના ત્રણ શહેરો જેવા કે અમદાવાદ (Ahmedabad) અને સુરેન્દ્રનગરમાં આજે 43 ડિગ્રી ગરમી નોંધાવવા પામી છે. હજુયે આગામી 72 કલાક દરમ્યાન ગરમી વધવાની સંભાવના છે. તે પછી 2થી 3 ડિગ્રી ગરમી ઘટશે, તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિકોનું કહેવુ છે. આ ઉપરાંત આગામી ચાર દિવસ દરમ્યાન દક્ષિણ ગુજરાત સહિત રાજયમાં માવઠું થવાની સંભાવના રહેલી છે.

  • હજુયે 72 કલાક માટે ગરમીનો પ્રકોપ રહેશે, અમદાવાદ તથા સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી ગરમી
  • 12થી15મી મે દરમ્યાન રાજયમાં માવઠુ થશે

બીજી તરફ મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશ તરફથી સરકીને દક્ષિણ ગુજરાત તરફ એક સિસ્ટમ આવી રહી છે, જેની અસર હેઠળ રાજયમાં 12, 13, 14 અને 15મી મે દરમ્યાન માવઠુ થવાની સંભાવના રહેલી છે. માવઠાની અસર રાજયના સાબરકાંઠા, અરવલ્લી , પંચમહાલ , દાહોદ , મહિસાગર , છોટા ઉદેપુર , નર્મદા, તાપી , ડાંગ , નવસારી , વલસાડ , દમણ દાદરા નગર હવેલી , અમરેલી , ભાવનગર અને ગીર સોમનાથ સહિતના જિલ્લામાં થશે, આ સાથે પ્રતિ કલાકના 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે, તથા ગાજવીજ પણ થવાની સંભાવના રહેલી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ , રાજયમાં આગામી 72 કલાક દરમ્યાન ગરમીનો પ્રકોપ રહેશે. જયારે તે પછી 2થી 3 ડિગ્રી ગરમી ઘટશે તેવી સંભાવના છે. જયારે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર – કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ તથા ભેજવાળી હવાના કારણે વાતાવરણ બેચેનીભર્યુ વાતાવરણ લાગશે.

અમદાવાદના એરપોર્ટ કેમ્પસમાં આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 43 ડિ.સે., ડીસામાં 41 ડિ.સે., ગાંધીનગરમાં 42 ડિ.સે.,વલ્લભ વિદ્યાનગરમાં 42 ડિ.સે., વડોદરામાં 41 ડિ.સે., સુરતમાં 34 ડિ.સે., વલસાડમાં 35 ડિ.સે., દમણમાં 35 ડિ.સે., ભૂજમાં 41 ડિ.સે.,નલિયામાં 35 ડિ.સે., કંડલા પોર્ટ પર 38 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 39 ડિ.સે., અમરેલીમાં 41.,ભાવનગરમાં 38 ડિ.સે.,રાજકોટમાં 42 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 43 ડિ.સે., મહુવામાં 37 અને કેશોદમાં 37 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.

Most Popular

To Top