Dakshin Gujarat

ભરૂચમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન નંદેલાવ બ્રિજનો અમુક ભાગ ધરાશાયી, અનેક વાહનો દબાયા

ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં બ્રિજનો (Bridge) અમુક ભાગ ધરાશાયી થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ભરૂચના નંદેલાવ બ્રિજનો અમુક ભાગ તૂટી પડતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં લોકોનો આબાદ બચાન થયો છે. પરંતુ કેટલાક વાહનો અને કેબિન કાટમાળ નીચે દબાયા ગયા હોવાની વિગતો સામે આવી છે. બ્રિજ દૂર્ઘટનામાં નીચે બેસેલા લોકોનો આબાદ બચાવ થયો છે.

ભરૂચના નિર્માણાધીન નંદેલાવ બ્રિજનો કેટલોક હિસ્સો ધરાશાયી થયો હતો. જો કે આ દુર્ઘટનામાં બ્રિજ નીચે બેસેલા લોકોનો આબાદ બચાવ થયો હતો. પરંતુ બ્રિજ નીચે મૂકેલા વાહનો અન કેબિનઓ કાટમાળમાં દબાય ગયા હતા. દુર્ઘટનાની જાણ થતા SP સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી હતા. જ્યાં પોલીસ દ્વારા બ્રિજ પર દહેજ તરફનો ટ્રાફિક વન વે કરાયો છે.

Most Popular

To Top