Dakshin Gujarat

બારડોલીની સાઈદર્શન સોસાયટીના રહીશોની ટાવર ન ખસેડવા પાલિકાને લેખિત રજૂઆત

બારડોલી: બારડોલી (Bardoli) નગરપાલિકા વિસ્તારમાં આવેલી સાઈદર્શન (Sai Darshan) સોસાયટીના (Society) ખાલી પ્લોટમાં મોબાઇલ ટાવર (Mobile Tower) ઊભો કર્યા બાદ નગરપાલિકા દ્વારા આ ટાવર દૂર કરવા માટે નોટિસ (Notice) આપવામાં આવતાં સોસાયટીના રહીશોમાં વિરોધનો સૂર ઊઠ્યો છે. રહીશોએ આ અંગે બારડોલી નગરપાલિકા અને નગર નિયોજનમાં લેખિતમાં રજૂઆત કરી છે.બારડોલી નગરપાલિકા વિસ્તારમાં આવેલી સાઈદર્શન સોસાયટીના રહીશોએ કરેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, બ્લોક નં.341 પૈકી 1ના પ્લોટ નં.સી-1 વાળી જમીનમાં સોસાયટીનો કોમન પ્લોટ આવેલો છે.

સોસાયટીના રહીશોએ અદાલતનો દરવાજો ખખડાવવાની ચીમકી ઉચ્ચારી
હાલ પ્લોટમાં વારિગૃહ બનાવવામાં આવ્યું છે. તેની બાજુમાં બચેલી થોડી જગ્યામાં સોસાયટી દ્વારા એક મોબાઇલ કંપનીને ટાવર માટે ભાડે આપવામાં આવ્યો છે. આ જમીન પર ટી.પી. સ્કીમ નં.4 લાગુ પડી છે. જેના ફાઇનલ પ્લોટ નં.76/2માં આ મોબાઇલ ટાવર હોય તે ટાવર દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા મોબાઇલ ટાવર કંપનીને નોટિસ પાઠવવામાં આવી છે. આ ટાવર દૂર ન કરવા માટે સોસાયટીના રહીશોએ રજૂઆત કરી છે. આ નોટિસ સામે રહીશોએ નગર નિયોજકને વાંધા અરજી પણ આપી હતી. સોસાયટીના રહીશોનું કહેવું છે કે, જો ટાવર દૂર કરવામાં આવશે તો સોસાયટીના રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. આથી સોસાયટીના રહીશોએ અદાલતનો દરવાજો ખખડાવવાની ચીમકી ઉચ્ચારી હતી.

Most Popular

To Top