National

સિક્કિમમાં હિમસ્ખલનના કારણે 7 ટૂરિસ્ટનાં મોત, 150 જેટલા લોકો ફસાયા હોવાની સંભાવના

નવી દિલ્હી: સિક્કિમના (Sikkim) સોમગોમાં હિમસ્ખલન (Avalanche) ના કારણે 6 લોકોના મોત (Death) થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બરફના તોફાનના કારણે ટૂરિસ્ટ (Tourist) બસ (Bus) ખીણમાં (valley) પડી ગઈ હતી અને 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. હાલ 150 લોકો બરફ નીચે ફસાયેલા છે. 22 લોકોને બચાવવામાં સફળતા મળી છે. આ ઘટના ગંગટોકથી નાથુલા પાસને જોડતા જવાહરલાલ નહેરુ માર્ગ પર બપોરે લગભગ 12:20 વાગ્યે બની હતી. ત્યારે એવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આમાં કેટલાક ગુજરાતી ટૂરિસ્ટઓ પણ હોઈ શકે છે.

સિક્કિમમાં એવલોન્ચે વિનાશ સર્જયો
જણાવવામાં આવી રહ્યું છે કે મંગળવારે ત્સોમગોમાં જોરદાર બરફનું તોફાન આવ્યું હતું. તે વાવાઝોડાને કારણે એક ટુરિસ્ટ બસ બેકાબૂ બનીને સીધી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ચિંતાનો વિષય છે કે હજુ પણ 150 લોકો બરફ નીચે ફસાયેલા છે. સિક્કિમ પોલીસની સાથે સ્થાનિક લોકોએ બચાવ કાર્ય શરૂ કર્યું છે. હજુ પણ ઘણા લોકો ઘાયલ છે, આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધી શકે છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમયે રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. 80 વાહનોને પણ સ્થળ પરથી હટાવી લેવામાં આવ્યા છે. આ પહેલા જાન્યુઆરીમાં લદ્દાખ ક્ષેત્રના ટંગોલ ગામમાં પણ હિમપ્રપાત થયો હતો. એ તોફાને બે છોકરીઓનો જીવ લીધો. એ જ રીતે, ગયા વર્ષે ઉત્તરકાશીમાં હિમપ્રપાતને કારણે ભારે તબાહી સર્જાઈ હતી અને 16 લોકોના મોત થયા હતા.

આ ઘટના અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જ્યાં અકસ્માત થયો છે ત્યાં જવા માટે પાસ આપવામાં આવે છે. આ પાસ 13મા માઈલ માટે જાહેર કરવામાં આવે છે, પરંતુ પ્રવાસીઓ પરવાનગી વગર 15મા માઈલ તરફ ગયા હતા. આ ઘટના 15મા માઈલમાં જ બની હતી.

Most Popular

To Top