National

અભિનેતા રજનીકાંતને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું

નવી દિલ્હી: અયોધ્યામાં (Ayodhya) બની રહેલા શ્રી રામ મંદિરની (RaamMandir) પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે. આ પ્રસંગે 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરના (Temple) ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિનો (Idol of Ramlala) અભિષેક કરવામાં આવશે. તેમજ આ કાર્યક્રમ (Program) માટે પીએમ મોદી સહિત હજારો સંતો, ભારતના રાજકારણીઓ, ફિલ્મ, ઉદ્યોગ સહિતના વિવિધ ક્ષેત્રના લોકોને આમંત્રણ (Invitation) આપવામાં આવ્યું છે. દરમિયાન ગઇ કાલે મંગળવારે સમારોહમાં હાજર રહેવા માટે સાઉથના મેગા સ્ટાર રજનીકાંતને (RajaniKant) પણ સત્તાવાર આમંત્રણ (Invitation) મળ્યું છે.

મંગળવારે બીજેપી નેતા અર્જુન મૂર્તિ સહિત RSSના અધિકારીઓએ અભિનેતા રજનીકાંતની તેમના ઘરે મુલાકાત લીધી અને આમંત્રણ પત્ર સોંપ્યું. જેમાં અર્જુન મૂર્તિએ લખ્યું હતું કે – “આજની ઘટના મારા જીવનનો શ્રેષ્ઠ અનુભવ હતો! રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર, અયોધ્યા વતી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત કુંભભિષેક કાર્યક્રમમાં હાજરી આપવા પ્રિય નેતા રજનીકાંત અને તેમના પરિવારના નિવાસ સ્થાનની મુલાકાત લેવા આમંત્રિત કરવામાં આવે છે. તેમને આમંત્રિત કરવામાં અમને આનંદ થયો.”

આ સેલિબ્રિટીઓ પણ આમંત્રીત છે
રજનીકાંત ઉપરાંત અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, અનુપમ ખેર, અક્ષય કુમાર અને દિગ્દર્શક રાજકુમાર હિરાણી, સંજય લીલા ભણસાલી, રોહિત શેટ્ટી, ચિરંજીવી, મોહનલાલ, ધનુષ અને ઋષભ શેટ્ટી 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે PM મોદી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હશે. આ સિવાય સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

કેવું છે રામ મંદિર સંકુલ?
રામ મંદિર સંકુલ વિશે ચંપત રાયે માહિતી આપી છે કે રામ મંદિરમાં પ્રવેશ પૂર્વ બાજુથી હશે અને બહાર નીકળવા માટે દક્ષિણ બાજુથી દ્વારા હશે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે મંદિરની રચના કુલ ત્રણ માળની હશે. મુખ્ય મંદિર સુધી પહોંચવા માટે ભક્તોને 32 પગથિયાં ચઢવા પડે છે. મંદિર પરિસર 380 ફૂટ લાંબુ (પૂર્વ-પશ્ચિમ દિશા), 250 ફૂટ પહોળું અને 161 ફૂટ ઊંચું હશે. તેમણે વધુમાં કહ્યું કે મંદિરનો દરેક માળ 20 ફૂટ ઊંચો હશે અને તેમજ તેમાં કુલ 392 થાંભલા અને 44 દરવાજા હશે.

Most Popular

To Top