Gujarat

રાજ્યના કોરોનાના 135 નવા કેસ, વધુ ત્રણનાં મોત

રાજ્યમાં કોરોનાના નવા કેસની સંખ્યા ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે રાજ્યમાં નવા 135 કેસ નોંધાયા છે. જ્યારે આજે વધુ અમદાવાદ મનપા, આણંદ અને જૂનાગઢ મનપામાં એક-એક મળી એમ 3 દર્દીનાં મોત થતાં કુલ મૃત્યુઆંક 10,037 પર પહોચ્યો છે. રાજ્યમાં અમદાવાદ ગ્રામ્ય, અરવલ્લી, ભાવનગર ગ્રામ્ય, બોટાદ, ડાંગ, મહિસાગર, મોરબી, નવસારી અને પાટણ જિલ્લામાં એકપણ નવો કેસ આજે નોંધાયો નથી.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 30, સુરત મનપામાં 14, વડોદરા મનપામાં 08, રાજકોટ મનપામાં 10, ગાંધીનગર મનપામાં 02, જામનગર મનપામાં 02 અને જૂનાગઢ મનપામાં 01 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 08, વડોદરા ગ્રામ્યમાં 07, જૂનાગઢ ગ્રામ્યમાં 05, ભરૂચમાં 01, રાજકોટ ગ્રામ્યમાં 06, વલસાડમાં 05, અમરેલીમાં 03, નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટીને 5,159, થઈ છે. 86 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે, અને 5,073 દર્દીઓ સ્ટેબલ છે. આજે 612 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 8,07,424 દર્દીઓ સાજા થયા છે.

આજે 4,53,300 વ્યકિતઓને રસી આપવામાં આવી
18 થી 45 વર્ષ સુધીના 3,10,741વ્યકિતઓને પ્રથમ ડોઝ, 17,164ને બીજો ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 67,759 પ્રથમ ડોઝ અને 50,119ની વ્યક્તિને બીજો ડોઝ આપવામાં આવ્યો ચે તેવી જ રીતે 302 હેલ્થ કેર વર્કસ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને પ્રથમ અને 7, 215ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 4,53,300 વ્યકિતઓને રસી પવામાં આવી હતી. અત્યાર સુધીમાં 2,30,09,562 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top