Gujarat Main

અક્ષર નિવાસી થયેલા હરિ પ્રસાદ સ્વામીની અંતિમ વિધી 1લી ઓગસ્ટે

હરિધામ સોખડા સ્વામીનારાયણ મંદિરના સંત હરિ પ્રસાદ સ્વામીના નશ્વર દેહને અંતિમ દર્શન માટે સોખડામાં નિજ મંદિરે લાવવામાં આવ્યો છે. જેના પગલે હજારો હરિ ભક્તો સ્વામીજીના અંતિમ દર્શને આવી રહ્યા છે. આજે તા.28થી 31 મી જુલાઈ સુધી દેશ વિદેશથી પણ 2 લાખ જેટલા હરિ ભકત્તો પણ દર્શન માટે આવી રહ્યા છે. મંદિર નજીક અક્ષર દેરી સામેના લીમડા વન ખાતે 1 ઓગસ્ટના રોજ બપોરે 2:30 કલાકે દિવંગત હરિપ્રસાદ સ્વામીના પાર્થિવદેહના અંતિમસંસ્કાર કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 1 ઓગસ્ટે સ્વામીજીના અંતિમ ​દર્શન અને ​અંતિમવિધિમાં હાજરી આપશે. આજે ગાંધીનગર ખાતે કેબીનેટ બેઠક બાદ પત્રકારો સાથેની ઓપચારીક વાતચીતમાં પટેલે કહ્યું હતું મુખ્યમંત્રી રૂપાણી અને હું એમ અમે બન્ને અંતિમ દર્શન અને અંતિમ વિધિમાં હાજરી આપીશું.

Most Popular

To Top