Gujarat

સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં હજુયે માવઠાની ભીતિ

ગાંધીનગર: ઉત્તરિય પવનની અસર હેઠળ એક તરફ ગુજરાતમાં ઠંડી વધી રહી છે એટલું જ નહીં ગુજરાતમાં શીત લહેરની અસર જોવા મળી રહી છે. આમ તો અમદાવાદ – ગાંધીનગરમાં 10 ડિગ્રી નીચે પારો ઉતરી ગયો હોય તે રીતની ઠંડી અનુભવાઈ રહી છે. એટલે કે શીત લહેરની અસર વર્તાઈ રહી છે. કચ્છના નલિયામાં આજે 12 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. જ્યારે લક્ષ્યદ્રિપ ઉપર એક અપર એર સાયકલોનિક સરકયુલેશનની સિસ્ટમ બનેલી છે. જે આવતીકાલે હિમાલય સુધી પહોંચી જશે. પશ્વિમ ભારત તરફ જયારે વેસ્ટર્ન ડિસ્ડબન્સ પણ આકાર પામ્યું છે. જેથી આવતીકાલે તા.21 મી ડિસેમ્બર દરમ્યાન રાજયમાં ખાસ કરીને અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં માવઠુ થવાની વકી રહેલી છે. આગામી 2થી 3 દિવસ દરમ્યાન રાજયમાં ઠંડીમાં થોડી રાહત મળશે. જયારે તે પછી 4 ડિગ્રી સુધી ઠંડીનો પારો નીચે ગગડી જશે.

અમદાવાદના એરપોર્ટ કેમ્પસમાં આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 16 ડિ.સે., ડીસામાં 15 ડિ.સે., ગાંધીનગરમાં 15 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 16 ડિ.સે., વડોદરામાં 15 ડિ.સે., સુરતમાં 20 ડિ.સે.,વલસાડમાં 19 ડિ.સે., ભૂજમાં 16 ડિ.સે., નલિયામાં 12 ડિ.સે., કંડલા પોર્ટ 17 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 16 ડિ.સે., અમરેલીમાં 16 ડિ.,સે., ભાવનગરમાં 18 ડિ.સે. અને રાજકોટમાં 18 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 16 ડિ.સે., કેશોદમાં 16 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.


….

Most Popular

To Top