Gujarat

વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે અડાલજ અન્નપૂર્ણા ધામ ખાતે રક્તદાન શિબિર યોજાઈ

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) જન્મદિવસ (Birthday) નિમિત્તે શનિવારે ગાંધીનગર (Ghandhinagar) નજીક આવેલા અડાલજના (Adalaj) અન્નપૂર્ણા ધામ (Annpurna Dham) ખાતે મહારક્તદાન શિબિર (Blood Donation Camp) અને મેડિકલ ચેકઅપ કેમ્પનું (Medical Checkup Camp) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 130 થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું.

130 થી વધારે લોકોએ રક્તદાન કર્યું હતું
અડાલજ અન્નપૂર્ણા ધામના ટ્રસ્ટી નરહરી અમીને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ રેડ ક્રોસ સોસાયટીના માર્ગદર્શન હેઠળ મહા રક્તદાન શિબિર અને મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 130 થી વધારે લોકોએ રક્તદાન કર્યું હતું. જ્યારે 400 થી વધુ લોકોએ આંખના નંબરની તપાસ કરાવી કરાવી હતી, 500થી વધુ લોકોએ બ્લડ સુગર, બ્લડપ્રેશર, હિમોગ્લોબિનની ચકાસણી કરાવી હતી. તેમજ 100થી વધુ લોકોએ ફિઝિયોથેરાપીને લગતી મેડિકલ ચકાસણી કરાવી હતી.

Most Popular

To Top