Business

મેનપુરાની થર્મલ ચોકડી પાસે અંધારપટથી અકસ્માતનો ભય

સેવાલિયા, તા.7
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના મેનપુરા ઞામેથી પસાર થઇ રહેલા અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળી રહી છે . મેનપુરા તેમજ ટીંબાના મુવાડા સુધી મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ છે.જેથી રાહદારીઓ અને વાહનચાલકો દ્વારા અકસ્માતની ભિતી વ્યક્ત કરવામાં આવી છે.
   મેનપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અંધારપટ જેવી સ્થિતિને કારણે અકસ્માતના બનાવો બનતા રહે છે.અમદાવાદ ઈન્દોર હાઈવે પર જેટલા સર્કલ આવેલા છે ત્યાં હાલમાં અંધકાર છવાયેલો રહે છે તેમ સ્થાનિકો ઉગ્ર રોષે ભરાયેલા  છે અને હાલમાં થર્મલ ચોકડી વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટોની વ્યવસ્થા કરવામાં આવી નથી . યોગ્ય રીતે લાઈટ વ્યવસ્થા ના હોવાથી હાઈવે ઉપર અકસ્માતોનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યુ છે. તદ્પરાંત થર્મલ ચોકડી વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો ન હોવાથી આ સર્કલ ઉપર  જરૂરી વ્યવસ્થા કરવામાં આવે  તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે. મેનપુરા ઞામે સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી આ સર્કલ ઉપર ભૂતકાળમાં ધણાં લોકોએ અકસ્માતના બનાવમાં જીવ ગુમાવી દીધા છે અને હાલમાં પણ નાના મોટા અંધારપટની જગ્યા પર અકસ્માત થતાં હોય છે.

Most Popular

To Top