ડભોઇ: તાજેતરમાં જ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના ઉંચા પરીણામ બાદ આજે ધોરણ ૧૦ નુ પરીણામ પણ ઉંચુ આવતા વિધાર્થીઓ વાલીઓમા ખુશી જોવા મળી છે
ધોરણ ૧૦ નુ બોર્ડનુ પરીણામ ૮૩.૮૬ ટકા આવ્યું છે. જયારે ડભોઇ કેન્દ્ર નુ પરીણામ ૭૬.૯૬ ટકા આવ્યું છે. જેને લઈ વિધાર્થીઓના ઉંચા પરીણામને લઈ ખુશી જોવા મળી છે. ડભોઇ કેન્દ્રમા દયારામ શાળાની મુકતા કુમારી પ્રવીણભાઈ રાઠવા ૯૯.૮૭ પી.આર સાથે પ્રથમ આવી છે. જયારે નોબલ પબ્લિક શાળાની સાક્ષી મનોજ બારીયાએ ૯૯.૭૭ સાથે ડભોઇ કેન્દ્ર મા બીજુ સ્થાન મેળવ્યું છે. દયારામ શાળાના વેદાંત દીપકભાઈ ભાવસાર ૯૯.૬૨ પી.આર સાથે ડભોઇ કેન્દ્રમા ત્રીજા સ્થાને છે. ડભોઇની ચીમનભાઈ પટેલ શાળાની ઊર્જા ધીરેનભાઈ પંડયા ૯૯.૫૬ પી.આર સાથે ડભોઇ કેન્દ્રમા ચોથા સ્થાને છે. આમ ડભોઇ નુ ધોરણ ૧૨ બાદ ધોરણ ૧૦ નુ પરીણામ પણ ઉંચુ આવતા વિધાર્થીઓ વાલીઓ અને શિક્ષકો માં ખુશી જોવા મળી છૈ.
રિપોર્ટર: દીપક જોશી