National

ઉત્તર પ્રદેશની હૃદયદ્રાવક ઘટના: ત્રણ બાળકો અને માતાનું ગળું કાપ્યું, પતિ ફાંસીએ લટકી ગયો

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં એક એક એવી ઘટના સામે આવી છે જેને તમામ લોકોના રુંવાટા ઉભા કરી દીધા છે. ભાગલપુર ગામમાં એક જ પરિવારનાં 5 લોકોની લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મહિલા(Woman) અને ત્રણ બાળકો(Children)ને તીક્ષ્ણ હથિયાર વડે નિર્દયતાથી કાપી નાખવામાં આવ્યા હતા, જ્યારે પતિનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. ઘરની બહાર એક કુહાડી મળી આવી છે. જેને તપાસ માટે મોકલી દેવામાં આવી છે.

મૃતકોમાં રાહુલ તિવારી, તેની પત્ની પ્રીતિ તિવારી અને ત્રણ માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. બાળકોના નામ માહી (12) પીહુ (7) અને પુત્ર પોહુ (5) છે. તપાસ દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી એક ચોપર મળી આવી હતી. સવારે આ ઘટનાની જાણ થતાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. માહિતી મળતાની સાથે જ ફોરેન્સિક એક્સપર્ટ અને ડોગ સ્કવોડ પોલીસ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તપાસ માટે 7 ટીમ બનાવી છે.

મહિલાના પગમાં અને તકિયામાં લોહી મળ્યું
ચોંકાવનારી બાબત એ છે કે બાથરૂમમાં ફંદા પર લટકી રહેલા રાહુલના શરીર પર ઈજા તો નથી, પણ કપડાં અને હાથમાં લોહી જોઈ શકાય છે. પાંચ લોકોની હત્યાની જાણકારી મળવા પર CM યોગી આદિત્યનાથે નોંધ લીધી છે. CMએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને નિષ્પક્ષ તપાસના આદેશ આપ્યા છે અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી થાય એવા નિર્દેશો આપ્યા હતા.

પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, રાહુલ તિવારી પરિવાર સાથે ભાગલપુર ગામમાં રહેતો હતો. તેઓ મૂળ કૌશાંબીના હતા. નવેમ્બર 2021થી રાહુલ તિવારી ભાડાના મકાનમાં રહીને પશુઓની ખરીદી અને વેચાણનું કામ કરતો હતો. મોડી રાત્રે રાહુલ તિવારીના પરિવારજનો જમ્યા બાદ સૂઈ ગયા હતા. મૃતકનો પરિવાર જે રૂમમાં રોકાયો હતો તેની ચેનલ ખુલ્લી હતી.

રાહુલની બહેનનો આરોપ
સવારે જ્યારે કોઈ ઘરની બહાર ન આવ્યું ત્યારે નજીકમાં રહેતા એક વ્યક્તિએ અંદર જઈને તેને જોયો તો તે સ્તબ્ધ થઈ ગયો. રાહુલ આંગણાના આંગણામાં લટકતો હતો. જ્યારે રૂમમાં બેડ પર પત્ની અને બાળકની લોહીલુહાણ લાશ પડી હતી. મૃતક જ્યોતિ અને નીતુની બહેનોએ હત્યાનો આરોપ લગાવ્યો છે. મૃતક રાહુલની બહેનનો આરોપ છે કે તેના સાસરે થોડો વિખવાદ ચાલી રહ્યો હતો. તેમણે જ કોઈ ષડયંત્ર કર્યું હોઈ શકે છે.

પતિએ હત્યા કરી હોવાની આશંકા
એસએસપી અજય કુમારનું કહેવું છે કે રાહુલના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી. તેનું મોત કેવી રીતે થયું તે પોસ્ટમોર્ટમ બાદ જ સ્પષ્ટ થશે. એવી પણ આશંકા છે કે પહેલા રાહુલની હત્યા કર્યા બાદ લાશને લટકાવી દેવામાં આવી હતી અને પછી તેની પત્ની અને ત્રણ બાળકોની હત્યા કરવામાં આવી હતી. પોલીસને સંભાવના છે કે પતિએ પહેલા પત્ની અને 3 દીકરીની હત્યા કરી અને પછી પોતે ફાંસીએ લટકી ગયો.

Most Popular

To Top