Gujarat

પત્નીએ પતિને ખાટલા સાથે બાંધી જીવતો સળગાવી દીધો, હત્યાનું કારણ જાણી તમે પણ ચોંકી જશો…

ભાવનગર: ભાવનગરના (Bhavnagar) તળાજા (Talaja) તાલુકાની એક ઘટના સામે આવી છે જ્યાં પત્નીએ (Wife) પતિને (Husband) જીવતો સળગાવી હત્યા (Murder) કરી નાખી છે. પતિને જીવતો સળગાવીને મારી નાંખતા ગામમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં પોલીસે (Police) હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે તપાસ કરતા ચોંકાવાનારી વિગતો સામે આવી હતી. સ્થાનિકો લોકોના કહ્યા પ્રમાણે પત્નીએ ઘર કંકાસથી કંટાળી પતિને ખાટલા સાથે બાંધી જીવતો સળગાવી (Burned) દીધો હતો.

  • ભાવનગરના તળાજા તાલુકામાં પત્નીએ પતિની હત્યા કરી હોવાની આશંકા
  • સ્થાનિકોના કહ્યા પ્રમાણે પત્નીએ ઘર કંકાસના ત્રાસથી પતિને જીવતો સળગાવી દીધો
  • પોલીસે હત્યાનો ગુનો નોંધી પત્નીની અટકાયત કરી

ભાવનગરના તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. પત્નીએ પોતાના જ પતિની બેરહેમી પૂર્વક હત્યા કરી નાખી હતી. સ્થાનિકોના કહ્યા પ્રમાણે પત્નીએ પતિના ત્રાસથી કંટાળીને તેને અડધી રાત્રે ખાટલા સાથે બાંધી તેની પર જવલનશીલ પ્રદાર્થ છાંટી માચીસ ચાંપી દઈ જીવતો સળગાવી નાખ્યો હતો. આ ઘટનામાં મૃત્યુ પામનાર પુરુષનું નામ સવજીભાઈ જીવાભાઈ બારૈયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જ્યારે સવજીભાઈની પત્નીનું નામ મંજુબેન હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહને તળાજા પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયથી પતિ અને પત્ની વચ્ચે ઘર કંકાસ ચાલી રહ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પતિ અને પત્ની વચ્ચે વારંવાર ઝઘડાઓ થયા કરતા હતા. ઘર કંકાસના કારણે અને પતિના ત્રાસના કારણે પત્નીએ શુક્રવારે આ ઘટનાને કરુણ અંજામ આપ્યો હતો. મધરાત્રિએ પતિ જ્યારે સુતો હતો ત્યારે પત્નીએ તેને ખાટલા સાથે બાંધી દીધો હતો અને કેરોસિન છાંટીને જીવતો સળગાવી દીધો હતો. આ ઘટનામાં લક્ષ્મણભાઈ જીવાભાઈ બારૈયાએ તળાજા પોલીસ સ્ટેશનમાં સવજીભાઈ બારૈયાની પત્ની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે મહિલાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top