Dakshin Gujarat

તાતીથૈયામાં બે જૂથ વચ્ચે અથડામણ: એકનું મોત

પલસાણા: પલસાણાના તાતીથૈયા (Tatithaya) ગામે બે જૂથ લાકડી અને તીક્ષ્ણ હથિયાર લઈ સામસામે આવી જતાં એક યુવકને ચપ્પુ વાગવાથી મોત નીપજ્યું હતું. જ્યારે સામે પક્ષે એક યુવકને જીવલેણ ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસમથક (Police) વિસ્તારના તાતીથૈયા ગામે પ્રિયંકા ગ્રીન સિટીમાં રહેતો ઓમપ્રકાશ ધર્મેન્દ્ર હજારીલાલ આરક ગત 18 ઓક્ટોબરે તેના કાકા ભાઈ સૂરજ ઉર્ફે શિવમ લલ્લુસિંગ ઠાકોર સાથે કડોદરા બજારમાં ફરવા ગયો હતો. એ સમયે બંને વચ્ચે ઝઘડો થતાં હર્ષદ મિલમાં નોકરી કરતા રણજિતકુમાર નામના ઇસમે બંનેને બજારમાં કેમ ગુંડાગીરી કરો છો? એમ કહી ગાળો આપી હતી.

બંને જૂથ વચ્ચે લાકડાના ફટકા સાથે મારામારી થઈ
ત્યારબાદ બંને રૂમ પર જતા રહ્યા હતા. દરમિયાન 21 ઓક્ટોબરે ઓમપ્રકાશ શાકભાજી ખરીદવા માટે જતાં ત્યાં રણજિતકુમારે તેને બે-ત્રણ થપ્પડ મારી દીધી હતી. ઓમપ્રકાશે આ વાત તેના ભાઈ સૂરજને કહેતાં તેણે રણજિતનો ફોન નંબર મેળવી સમાધાન માટે મળવા બોલાવ્યો હતો. રણજિતે હર્ષદ મિલ પાસે મળવા બોલાવતાં ઓમપ્રકાશ, તેનો ભાઈ સૂરજ ઉર્ફે શિવમ, મિત્ર અનુજ, અમન તિવારી, ધીરજ સરોજ, અર્પિત તથા ભાવેશ સાથે ગયા હતા. ત્યાં જતા જ રણજિતે પણ તેના માણસો બોલાવતાં બંને જૂથ વચ્ચે લાકડાના ફટકા સાથે મારામારી થઈ હતી, જેમાં સૂરજને માથાના ભાગે ફટકા મારતાં ઇજા પહોંચી હતી. જ્યારે ધીરજને પણ કમરમાં ઇજા થઇ હતી. ગંભીર ઇજા થતાં સૂરજને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

નવી સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું
આ મારામારી દરમિયાન સામેના જૂથમાં રણજિતકુમાર તેના કારીગર મનોજ, અજિત અને પ્રકાશ સાથે આવ્યો હતો. ઓમપ્રકાશે રણજિતને લાકડાના સપાટો મારતાં ઇજા થઇ હતી. આ દરમિયાન રણજિતના બચાવમાં આવેલા ભંગારનો ધંધો કરતા બુદ્ધ પ્રકાશને પકડીને માર મારવા લાગ્યા હતા. ધીરજ સરોજે બુદ્ધિ પ્રકાશ પર ચપ્પુથી હુમલો કરતાં તે બેભાન થઈ નીચે પડી ગયો હતો. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલ બાદ નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું.

દસ જણા વિરુદ્ધ હત્યાનો હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
આ ઘટના અંગે પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી હતી. ઓમપ્રકાશની ફરિયાદના આધારે રણજિત કુમાર સહિત આઠથી દસ જણા વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને રણજિતની ફરિયાદના આધારે ઓમપ્રકાશ, સૂરજ ઉર્ફે શિવમ ઠાકુર, અર્પિત, ભાવેશ, અનુજ, અમન તિવારી અને ધીરજ સરોજ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top