SURAT

સચિન-વાંજ રોડ પર વિચિત્ર અકસ્માત : યુવક બાઇક લઈ રોડ વચ્ચેના નાળામાં પડ્યો : સિવિલમાં મોત

સુરત: સચિન વાંજ રોડ ઉપર વહેલી સવારે એક બાઇક ચાલક રોડ વચ્ચેના નાળામાં બાઇક લઈ ને ઘુસી જતા ગંભીર રીતે ઘવાયો હતો. એટલું જ નહીં પણ NHAI ની એમ્બ્યુલન્સમાં સુરત સિવિલ ખસેડવામાં આવ્યુ હતું. હોસ્પિટલમાં ઇસમનું ટૂંકી સારવાર બાદ મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જો કે પરિવારે પોસ્ટ મોર્ટમ નહિ કરાવવાની જીદ પકડી રાખી હતી. તેથી પોલીસે મૃતદેહ પોસ્ટ મોર્ટમ વગર અંતિમ વિધિ માટે આપી દીધો હતો.

  • વિપુલ ચૌધરી મિકેનિકલ એન્જીનિયર : યાન કંપનીનો કર્મચારી, પરિવાર આઘાતમાં

વિપુલ ચૌધરી (NHAI સુપર વાઇઝર) એ જણાવ્યું હતું કે અકસ્માત નો કોલ મળતા જ એમ્બ્યુલન્સ મોકલી આપી હતી. ત્યારબાદ સ્થળ વિઝીટ કરતા ઘટના પરથી એક બાઇક અને હેલ્મેટ મળી આવ્યા હતા . લોકોએ જણાવ્યું હતું કે યુવક ચાલુ બાઇક સાથે રોડ વચ્ચેના નાળા માં પડ્યો હતો. યુવકને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ મોકલવામાં આવ્યો હતો.

ભારતી (પત્ની) એ જણાવ્યું હતું કે તેઓ રાંદેર પાલનપુર જકાતનાકા પાસેની સંધ્યા વન સોસાયટીમાં રહે છે, બે સંતાન છે. શૈલેશ કમલેશ ચૌધરી મારા પતિ છે. આજે સવારે સચિનની યાન બનાવતી કંપનીમાં કામ પર જતાં હતાં. શૈલેષ મિકેનિકલ એન્જીનિયર હતા. આજે સવારે સચિન- વાંજ રોડ પર અકસ્માતમાં ઘવાયા હતા. સિવિલમાં લવાયા બાદ ટેલિફોનિક જાણ કરાઈ હતી. સારવાર દરમિયાન મોત નિપજ્યા બાદ પોસ્ટ મોર્ટમ ન કરાવવા પોલીસ ને વિનંતી કરી હતી. સાથે સાથે એફિડેટ કરી આપી હતી.

Most Popular

To Top