SURAT

ગોવા ફરવા જનારા સુરતીઓ માટે રેલવે દ્વારા કરાઈ આ સુવિધા

સુરત: (Surat) પશ્ચિમ રેલવેએ (Western Railway) પ્રવાસીઓની ઘસારાને પહોંચી વળવા માટે સુરત-કરમાલી સહિત ત્રણ સ્પેશિયલ ટ્રેન (Special Train) દોડાવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત-કરમાલી ટ્રેન 7 માર્ચ 2023ના રોજ સાંજે 19.50 વાગે સુરતથી રવાના થશે અને બીજા દિવસે સવારે 10.25 વાગે કરમાલી પહોંચશે. તેવીજ રીતે કરમાલી-સુરત ટ્રેન 8 માર્ચ 2023ના રોજ કરમાલીથી બપોરે 16.20 વાગે રવાના થશે અને બીજા દિવસે સવારે 8.00 સુરતથી પહોંચશે. રસ્તામાં આ ટ્રેન વલસાડ,વાપી,પાલઘર, વસઈ રોડ, ભીવંડી રોડ,પનવેલ,રોહા,માનગાંવ, ચિપલુણ, સંગમેશ્વર રોડ,રત્નાગીરી અડાવલી વૈભવવાડી રોડ સિંધુદુર્ગ સાવંતવાડી રોડ સહિતના સ્ટેશનો પર થોભશે.

ભાવનગર-બાંદ્રા ટ્રેન 2 માર્ચના રોજ બપોરે 14.50 વાગે રવાના થશે અને બીજા દિવસે સવારે 6 વાગે બાંદ્રા પહોંચશે. બાંદ્રા-ભાવનગર ટ્રેન 3 માર્ચ 2023ના રોજ સવારે 9 વાગે બાંદ્રાથી રવાના થઈને તેજ દિવસે રાત્રે 23.45 વાગે ભાવનગર પહોંચશે. આ ટ્રેન બોરીવલી,વાપી,સુરત, વડોદરા, નડિયાદ, અમદાવાદ,સહિતના સ્ટેશનોએ થોભશે. તેવીજ રીતે સાબરમતી-ઓખા ટ્રેન 16 ફેબ્રુઆરીના રોજ સાબરમતીથી રાત્રે 23.35 વાગે રવાના થઈને બીજા દિવસે સવારે 8.25 વાગે ઓખા પહોંચશે. તેવીજ રીતે આ ટ્રેન ઓખાથી 17 ફેબ્રુઆરીના રોજ રાત્રે 23.45 વાગે રવાના થશે અને બીજા દિવસે સવારે 8.35 વાગે સાબરમતી પહોંચશે. ટ્રેન રસ્તામાં વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ,હાપા, જામનગર, દ્વારકા સહિતના સ્ટેશનો પર થોભશે.

Most Popular

To Top