Dakshin Gujarat

વાંકલ ગામના માનસિક અસ્વસ્થ વૃદ્ધને અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતા મોત

વાંકલ: માંગરોળ (Mangrol) તાલુકાના વાંકલ (Vankal) ઝંખવાવ મુખ્ય માર્ગ ઉપર કંટવાવ ગામના પાટીયા નજીક અજાણ્યા કાર ચાલકે રાત્રિ દરમિયાન વૃદ્ધને અડફેટે લેતા અકસ્માતની (Accident) ઘટના સર્જાઇ હતી. કાર એટલી ઝડપે હતી કે વૃદ્ધનું ઘટના સ્થળે જ કરુણ મોત (Death) નીપજ્યું હતું.

  • મૃત વૃદ્ધ થોડા સમયથી તેઓ માનસિક રીતે સામાન્ય અસ્વસ્થ હતા
  • અજાણ્યા કાર ચાલકે પોતાનું વાહન ગફલત ભરી રીતે હંકારી વૃદ્ધને અડફેટે લીધા
  • મૃતકની બહેને ઝંખવાવ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી

વાંકલ ગામના કુંભાર ફળિયામાં રહેતા 70 વર્ષીય મનહરભાઈ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ મહેનત અને ઈમાનદારીથી ટેલરિંગ કામ અને સાથે લોકોનું નાનું મોટું કામ કરી પોતાનું જીવન ગુજારતા હતા થોડા સમયથી તેઓ માનસિક રીતે સામાન્ય અસ્વસ્થ હતા. જેથી ઘરેથી કેટલીક વાર સગા સંબંધીને ત્યાં જવા ચાલી નીકળતા હતા.

શુક્રવારે સાંજે 7:30 વાગ્યાના સુમારે તેઓને કંટવાવ ગામના બસ સ્ટેશનથી થોડે દૂર ચાલતા આવી રહ્યા હતા. ત્યારે એક અજાણ્યા કાર ચાલકે પોતાનું વાહન ગફલત ભરી રીતે હંકારી વૃદ્ધને અડફેટે લીધા હતા. તેમને માથા અને હાથના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માતના બનાવ સંદર્ભમાં મરણ જનારની બહેન ગુણવંતીબેન શંકરભાઈ પ્રજાપતિ રહે વૃંદાવન પાર્ક તરસાડી કોસંબા દ્વારા અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ઝંખવાવ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અકસ્માતના ગુના અંગે વધુ તપાસ પી.એસ.આઇ. એ.જી. દેસાઈ કરી રહ્યા છે

Most Popular

To Top