SURAT

સુરતમાં ત્યક્તા સાથે વાસણના વેપારીએ અનેક વખત છેડછાડ કરી લાજ લેવા પ્રયાસ કર્યો

સુરતઃ (Surat) નાનપુરા ખાતે પુત્ર સાથે એકલી રહેતી ત્યક્તાને ડેકોરેશનનું કામ અપાવનાર વાસણના વેપારીએ એકલતાનો લાભ જોઈને અનેક વખત શારિરીક અડપલા કરી લાજ લેવા (Abuse) પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલા વશ નહી થતા મનીષે તેના મોઢા પર એસીડ ફેંકી તેને અને પુત્રને મારી નાખવાની ધમકી આપતા અંતે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં (Police station) ફરિયાદ નોંધાવી હતી.

  • નાનપુરા ખાતે રહેતી ત્યક્તાને વાસણના વેપારીએ અનેક વખત છેડછાડ કરી લાજ લેવા પ્રયાસ કર્યો
  • મહિલા અંતે વશ નહી થતા કંટાળી પોલીસ સ્ટેશન પહોંચી
  • મારા કહ્યા મુજબ કર નહીતર હું તારા મોઢા પર એસીડ ફેંકી દઈશ

નાનપુરા ખાતે રહેતી 25 વર્ષીય આરતી (નામ બદલ્યું છે) હાલ તેના પિતાના ઘરે રહે છે. આરતીના તેના પતિ સાથે છુટાછેડા થયા છે. અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આરતીએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં મનીષ સ્વરૂપચંદ્ર સંઘવી (ઉ.વ.૩૫, ધંધો.વેપાર રહે.ઘર નં-૩૦૨ ગંગા જમના એપાર્ટમેન્ટ અડાજણ પાટીયા) ની સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. દોઢેક વર્ષ પહેલા આરતીએ ડભોલી રોડ પર તેના ઘરે ઇલેક્ટ્રીકનું કામ હોવાથી આ તેની સહેલીના થકી મનીષને બોલાવ્યો હતો. ત્યારે મનીષ સાથે સંપર્ક થયો પછી આરતીએ તે પુત્ર સાથે એકલી રહેતી હોવાનું કહ્યું હતું.

આ મનીષ ડેકોરેશનનું કામ પણ કરતો હોવાથી આરતીને કામ અપાવી તેનું મહેતાણુ પણ આપતો હતો. મનીષ વાસણનો વેપાર પણ કરતો હોવાથી છ મહિના પહેલા આરતી તેના દુકાને વાસણ લેવા ગઈ હતી. ત્યારે મનીષે તેને એકલતાનો લાભ લઈને દુકાનની એકતરફ લઈ જઈ શારિરીક છેડછાડ કરી હતી. આરતીએ આ બાબતનો લિકોઝ વિરોધ કરી પોતાને છોડાવી ભાગી ગઈ હતી. બાદમાં મનીષે તેના ઘરે જઈને માફી માંગી હતી. બાદમાં મનીષ સાથે ડેકોરેશનનું કામ ચાલું રાખ્યું હતું. પરંતુ તે પૈસા સમયસર નહી આપતા પૈસા એકસાથે અપવાનું કહ્યું હતું. બાદમાં એક દિવસ વેસુ ખાતે બોલાવી રાત્રે શારિરીક અડપલા કર્યા હતા. અને પોતે પણ પત્નીથી અલગ એકલો રહેતો હોવાનું કહીને આરતીની છેડછાડ કરી હતી. અને બાદમાં મેસેજ પર વાતો કરવાનું ચાલું રાખ્યું હતું. બાદમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

જોકે બિલ્ડીંગમાં રહેતા જયેશભાઈ મારફતે મનીષ સાથે સમાધાન થતા તેની મજુરી ચુકવી દેવાનું કહ્યું હતું. આરતી ગત 6 ફેબ્રુઆરીએ સાંજે કતારગામ પીપલ્સ ચાર રસ્તા પાસે મોબાઈલ ફોન રીપેરીંગ કરવા ગઈ ત્યારે મનીષ તેને ખેંચી લઈ ગયો હતો. અને બળજબરી કરવા પ્રયાસ કર્યો હતો. આરતીએ બુમાબુમ કરતા તે ભાગી ગયો હતો. બાદમાં 18 માર્ચે ચૌટાબજારમાં ખરીદી માટે ગઈ ત્યારે મનીષે તેનો પીછો કર્યો હતો. અને તુ મને મારી દુકાને મળ અને મારા કહ્યા મુજબ કર નહીતર હું તારા મોઢા પર એસીડ ફેંકી દઈશ તેમ કહીને શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. અને જો શરીર સંબંધ નહી બાંધવા દે તો આરતીને અને તેના પુત્રને જાનથી મારવાની ધમકી આપી હતી.

Most Popular

To Top