SURAT

સમર શિડ્યુલમાં સુરતથી જયપુર, મુંબઇ અને નાસિકની ફ્લાઇટ શરૂ થશે

સ્પાઇસ જેટ એરલાઇન્સ સમર શિડ્યુલમાં સુરતથી નાસિક,જયપુર અને મુંબઇની ફ્લાઇટ શરૂ કરવા આયોજન કરવામાં આવ્યું છે. એરલાઇન્સ દ્વારા સ્લોટની માંગણી પણ કરવામાં આવી હતી. તે પૈકી નાસિકથી સુરતની ફ્લાઇટ માટે સ્લોટ મંજૂર કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે સ્લોટ માટે હજી મંજૂરી મળવાની બાકી છે.

નાસિકથી 12:25 કલાકે ફ્લાઇટ ઉપડશે અને 13:20 કલાકે સુરત આવશે. 14:40 કલાકે સુરતથી નાસિક જવા રવાના થશે. સંભાવના એવી છે કે સુરતથી મુંબઇની ફ્લાઇટ માટે જે સ્લોટ માંગવામાં આવ્યો છે તે મુજબ સુરતથી 9-40 કલાકે ફ્લાઇટ ઉપડશે અને મુંબઇ 10:50 કલાકે પહોંચશે. આજ ફ્લાઇટ સાંજે મુંબઇથી 18:35 કલાકે ઉપડી સુરત 19-35 કલાકે આવશે. જ્યારે સુરતથી જયપુર 19:55 કલાકે ઉપડશે અને 21:30 કલાકે જયપુર પહોંચશે.

જોકે ડીજીસીએ દ્વારા હજી મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ સ્લોટ રજૂ કરવામાં આવ્યો છે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા સુરતથી ઉદયપુર, ગોવા અને દિલ્હીની ફ્લાઇટ શરૂ કરવા પણ માંગ કરવામાં આવી છે. નાશિક એરપોર્ટ દ્વારા સુરત-નાસિકની ફ્લાઇટની ટ્વિટર થકી જાહેરાત કરવામાં આવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top