Comments

કથાકાર અને કથારસિકો

ભૂતકાળની વાતોને રસીકતાથી, દૃષ્ટાંત વડે, સંગીત વડે, મીઠાશ ઉમેરી, બીન જરૂરી સંવાદ વડે પ્રજા સમક્ષ રજૂઆત કરવી એ… કથા. ક્યાંક ભગવાનને અનુસરીને વાતો થાય એપ્રજાને ભાવુક કરી દે… ધન્યવાદ… પણ એ નિ:શુલ્ક હોય. મારો ભાઈ, બહેન આટલી જરૂરી વાત થકી અજાણ ના રહે. આ હેતુથી કહેવાતી હોય, એમંથી શીખે, જીવન પરિવર્તન કરાવનારી હોય. જ્યાં માંગણી ન હોય. જ્ઞાનને વહેંચવાની જરૂર નથી. માંગનારા કથાકાર ‘‘હો… હો’’ (સો) નહી તમે હજારમાં બોલી…. લુંટવાની હદ થઈ ગઈ. અહીંથી થોડીક દૂર (500 થી 700 કી.મી.) આશ્રમ, મંદિર બનાવવો છે.

ગાયોની ગૌશાળા બનાવવી છે. આપ આવો રાખીશું. ક્યારેય શાળા, જીવનલક્ષી રોજીરોટી માટેની ગૃહઉદ્યોગ બનાવવાની વાત થતી નથી. મૂળ મુદ્દાની વાત જંગલમાં વસનારાએ આ જાણ્યું જ નથી. ત્યાં…, શાળા, ઉદ્યોગલક્ષી શાળા, રોજી રોટી પૂરી પાડે તેવી ક્યારેય વાત થતી સાંભળી નથી. આ વિસ્તારમાં ક્યાંય કથા થતી નથી. પોશ વિસ્તારમાં જ્યાં તગડી આવક થાય. થાય. કથાય ત્યાં જરૂર નથી જ નથી. ધનાઢ્ય લોકો તો મીડીયા, ટી.વી. બીજા સ્ત્રોત વડે જાણશે. પેલા આદીવાસી વિસ્તારમાં કેમ કથા થતી નથી??? કથા સાંભળનાર પણ વિચારશે ખરા કે?? જ્યાં અજાણતા છે ત્યાં જાણકારીનો દિવો નિ:શુલ્ક પ્રગટશે ખરો કે?
અછારણ. – ભગવતી છ.પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top