Entertainment

સલમાન ખાનને મોટી રાહત, કાળિયાર હરણ શિકાર કેસની સુનાવણી હવે હાઇકોર્ટમાં થશે

જયપુર: રાજસ્થાન હાઈકોર્ટે 21 માર્ચે સલમાનની ટ્રાન્સફર અરજી પર સુનાવણી કરતાં એક મોટો ફેંસલો સંભળાવ્યો છે. કોર્ટના નિર્ણય મુજબ, કાળિયાર હરણ શિકાર કેસની સુનાવણી હવે હાઈકોર્ટમાં થશે. સલમાને પેન્ડિંગ અપીલને હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે સેશન કોર્ટમાં અરજી કરી હતી.

રાજસ્થાન હાઈકોર્ટે તરફથી બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને કાળિયાર શિકાર પ્રકરણમાં મોટી રાહત મળી છે. રાજસ્થાન હાઈકોર્ટે ફેંસલો સંભળાવ્યો છે કે, કાળિયાર હરણ શિકારને લગતા તમામ મામલાઓની હાઈકોર્ટમાં એકસાથે સુનાવણી થશે. જેનાથી સલમાન ખાનને હવે વારંવાર કોર્ટમાં હાજર નહીં થવું પડે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન હરણ શિકાર પ્રકરણમાં જામીન પર છૂટેલા છે. આ પહેલા સલમાન ખાનના વકીલે હરણ શિકાર પ્રકરણ સંબંધિત તમામ અરજીઓને હાઈકોર્ટેમાં ટ્રાન્સફર કરવાની અરજી કરી હતી. જેના પર લગાતાર હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. હાઈકોર્ટમાં સરકારી વકીલ તરફથી જવાબ રજૂ કરવા માટે અદાલત પાસે સમય માંગવામાં આવતાં કોર્ટે સુનાવણી માટે તા. 21 માર્ચ નક્કી કરી હતી.

Most Popular

To Top