Madhya Gujarat

સાત વર્ષીય બાળા સાથે શારિરીક અડપલા કરાતા પોલીસ ફરિયાદ

દાદોદ : દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નાની બોરીયાલી ગામે એક ઈસમે એક ૦૭ વર્ષીય બાળા સાથે શારિરીક અડપગલા કરી, ખેંચતાણ કરી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગેની જાણ બાળાએ પોતાના પરિવારજનોને કરતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે. ગત તા.૨૮મી સપ્ટેમ્બરના રોજ નાની બોરીયાલી ગામે ગારી ફળિયામાં રહેતો વિજયભાઈ દિતાભાઈ ભુરીયાએ ગરબાડા તાલુકામાં રહેતી એક ૦૭ વર્ષીય બાળાને મકાનના ધાબા ઉપર લઈ ગયો હતો અને બાળા સાથે શારિરીક અડપગલાં કરી તેણીની ખેંચતાણ કરી બાળાને મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

આ બાદ ૦૭ વર્ષીય બાળા જેમ તેમ કરી આ ઈસમ પાસેથી છુટી પોતાના પરિવાર પાસે પહોંચી ગઇ હતી અને તેના માતા-પિતાને ઉપરોક્ત ઘટનાની સઘળી હકીકત જણાવી હતી જેથી પરિવારજનો દ્વારા મામલાની ગભીરતા જોઇ જણવાતાં ૦૭ વર્ષીય બાળાની માતા દ્વારા દ્વારા આ સંબંધે ગરબાડા પોલીસ મથકે વિજયભાઈ દિતાભાઈ ભુરીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદમાં યુવકે લઘુમતિ કોમની યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યું

દાહોદ શહેરમાં એક યુવકે એક લઘુમતિ કોમની યુવતીને લગ્નની ખોટી લાલચ આપી યુવતી ઉપર દુષ્કર્મ આચરતાં આ મામલે દુષ્કર્મનો ભોગ બનેલ ૨૧ વર્ષીય યુવતીએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે.દાહોદ શહેરમાં દર્પણ ટોકીઝની સામે મહાકાળી મંદિરની પાસે રહેતો કરણભાઈ રૂમાલભાઈ ડામોરે દાહોદમાં રહેતી એક લઘુમતિ કોમની ૨૧ વર્ષીય યુવતીને લગ્ન કરવાનું જણાવી, પત્નિ તરીકે રાખવાની ખોટી લાલચ આપી તારીખ ૦૯.૦૯.૨૦૨૧ના રોજ દાહોદ શહેરના મારવાડી ચાલ, ગંદાકુવા પાસેના વિસ્તારમાં ૨૧ વર્ષીય યુવતીને લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરતાં આ સંબંધે દુષ્કર્મનો ભોગ બનેલ ૨૧ વર્ષીય યુવતે ઉપરોક્ત યુવક વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સિંગવડ તાલુકાના છાપરી ગામેથી ૧૫ વર્ષીય સગીરાનું અપહરણ

સીંગવડ તાલુકાના છાપરી ગામેથી એક ૧૫ વર્ષીય સગીરાને એક યુવકે પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.ગત તા.૩૦મી ઓગષ્ટના રોજ સીંગવડ તાલુકાના કટારાની પાલ્લી ગામે રહેતો બીપીનભાઈ પર્વતભાઈ હઠીલાએ સીંગવડ તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂં પટાવી ફોસલાવી અપહરણ કરી લઈ નાસી ગયો હતો. જે બાબતે સગીરાના પરિવારજનોને જાણ થતાં તેઓએ સગીરાની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ સગીરાનો કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી પરિવારજનો દ્વારા આ બાબતની જાણ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. આ સંબંધે સગીરાના પિતા દ્વારા રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.

Most Popular

To Top