Gujarat

આજે પીએમ મોદી સોમનાથમાં 30 કરોડના ખર્ચે આકાર પામનાર પાર્વતી મંદિરનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કરશે

પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે 20 ઓગસ્ટે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ સમારંભમાં ગુજરાતના સોમનાથમાં અનેક પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં ખાસ કરીને 30 કરોડના ખર્ચે આકાર પામનાર પાર્વતી મંદિરનો શિલાન્યાસ પણ કરશે.

મોદી દ્વ્રારા જે પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવનાર છે , તેમાં સોમનાથ પ્રોમેનેડ, સોમનાથ એક્ઝિબિશન સેન્ટર અને પુનઃનિર્મિત (જૂનું) સોમનાથ મંદિર પરિસર સામેલ છે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રીપાર્વતી મંદિરની આધારશિલા પણ રાખશે.સોમનાથ મંદિર ક્ષેત્રનો પ્રસાદ (તીર્થયાત્રા કાયાકલ્પ અને આધ્યાત્મિક, વિરાસત સંવર્ધન અભિયાન) યોજના અંતર્ગત 47 કરોડથી વધુના કુલ ખર્ચથી વિકસિત કરાયું છે. પ્રવાસી સુવિધા કેન્દ્રના પરિસરમાં વિકસિત સોમનાથ એક્ઝિબિશન કેન્દ્ર, જૂના સોમનાથ મંદિરના ખંડિત હિસ્સાઓ અને જૂના સોમનાથની નાગર શૈલીની મંદિર વાસ્તુકલાવાળી પ્રતિમાઓને પ્રદર્શિત કરે છે.

જૂના સોમનાથના પુનઃનિર્મિત મંદિર પરિસરને સોમનાથ ટ્રસ્ટ દ્વારા 3.5 કરોડ રૂપિયાના ખર્ચ સાથે સંપન્ન કરાયું છે. આ મંદિરને અહિલ્યાબાઈ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે . આ મંદિરને ઈન્દોરના રાણી અહિલ્યાબાઈ દ્વારા બનાવાયું હતું, જ્યારે તેમને ખ્યાલ આવ્યો હતો કે જુનું મંદિર ખંડેર સ્વરૂપમાં હતું. તીર્થયાત્રાળુઓની સુરક્ષા અને સંવર્ધિત ક્ષમતા માટે સમગ્ર જૂના મંદિર પરિસરનો સમગ્ર રીતે પુનર્વિકાસ કરવામાં આવ્યો છે

Most Popular

To Top