National

PM મોદી આવતીકાલે BJPનો મેનિફેસ્ટો જાહેર કરી શકે છે, 15 લાખથી વધુ સૂચનો મળ્યા

નવી દિલ્હી: (New Delhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) રવિવારે લોકસભા ચૂંટણી માટે ભાજપનો ચૂંટણી ઢંઢેરો (Manifesto) જાહેર કરી શકે છે. ભાજપ “સંકલ્પ પત્ર” નામથી મેનિફેસ્ટો બહાર પાડે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર PM મોદી આવતીકાલે સવારે 9 વાગ્યે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કરશે. આ અવસર પર બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને અન્ય ઘણા મોટા નેતાઓ હાજર રહેશે.

સામાન્ય ચૂંટણી 19 એપ્રિલ 2024 થી 1 જૂન 2024 દરમિયાન યોજાવાની છે. જેને લઈને બધાજ પક્ષો તૈયારીઓમાં જોતરાઈ ગયા છે. અનેક પક્ષોએ પોતાનો ચૂંટણી ઢંઢેરો પણ બહાર પાડી દીધો છે ત્યારે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં શું હશે તે જાણવા લોકો ઉત્સુક છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર બીજેપીનો મેનિફેસ્ટો વિકાસ, સમૃદ્ધ ભારત, મહિલાઓ, યુવાનો, ગરીબો અને ખેડૂતો પર કેન્દ્રિત હશે. બીજેપીના એક નેતાએ કહ્યું કે પાર્ટીએ માત્ર તે જ વચનો પૂરા કરવાનો સંકલ્પ કર્યો જે પ્રાપ્ત કરી શકાય તેવા હતા. મેનિફેસ્ટોની થીમ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ પર ધ્યાન કેન્દ્રિત કરીને “મોદીની ગેરંટીઃ વિકસિત ભારત 2047” હશે.

15 લાખથી વધુ સૂચનો મળ્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર રક્ષા મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં મેનિફેસ્ટો કમિટીએ બે બેઠકો કરી છે. ભાજપને તેના મેનિફેસ્ટો માટે 15 લાખથી વધુ સૂચનો મળ્યા છે. નમો એપ દ્વારા ચાર લાખથી વધુ અને વીડિયો દ્વારા 10 લાખથી વધુ સૂચનો મળ્યા છે.

મેનિફેસ્ટો કમિટીમાં 27 સભ્યો
તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરા સમિતિની રચના કરી હતી જેમાં 27 સભ્યોનો સમાવેશ થાય છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને આ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સંયોજક અને સહ-સંયોજક હતા. મેનિફેસ્ટો પેનલના સભ્યોમાં અર્જુન મુંડા, ભૂપેન્દ્ર યાદવ, અર્જુન રામ મેઘવાલ, કિરેન રિજિજુ, શિવરાજ સિંહ ચૌહાણ, વસુંધરા રાજે, સ્મૃતિ ઈરાની, સુશીલ મોદી, કેશવ પ્રસાદ મૌર્ય, અશ્વિની વૈષ્ણવ, ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે.

જણાવી દઈએ કે કોંગ્રેસે પહેલાથી જ “ન્યાય પત્ર” નામનું પોતાનું મેનિફેસ્ટો બહાર પાડ્યું છે. રાહુલ ગાંધીએ જાહેર જનતા માટે 25 ગેરંટીઓ પ્રકાશિત કરી છે જેમાં મુખ્ય વચન પરિવારોની સૌથી ગરીબ મહિલાઓને રૂ. 100,000 ની વાર્ષિક નાણાકીય સહાય આપવાનું છે.

Most Popular

To Top