Entertainment

15 વર્ષ બાદ ‘યે રીશ્તા ક્યા કહેલાતા હૈ’ ના પ્રોડ્યુસરને મળી શો બંધ કરવાની નોટિસ

મુંબઇ: ટેલિવિઝન (Television) પર દરરોજ ઘણી નવી સિરિયલો (serials) શરૂ થાય છે, તેમજ જે-તે કારણે તે સિરિયલો પણ ટૂંક સમયમાં બંધ થઈ જાય છે. પરંતુ ઘણા એવા શો છે જે વર્ષોથી દર્શકોનું મનોરંજન કરે છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ પણ આવા જ શો માંથી એક છે. આ શો 2009માં સ્ટાર પ્લસ (Star Plus) પર ટેલિકાસ્ટ થયો હતો. તેમજ ત્યારથી સતત 15 વર્ષો સુધી આ શોએ દર્શકોનું મનોરંજન કર્યું છે.

શો શરૂ થતાની સાથે જ તે દર્શકોનો ફેવરિટ બની ગયો હતો. તેમજ આ શો એ ટીઆરપી લિસ્ટમાં નંબર વન પર પોતાનું સ્થાન બનાવી લીધું હતું. આ શોને 15 વર્ષથી સતત દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. પરંતુ હવે શો ઓફ એર થવાના અહેવાલો સામે આવ્યા છે. અસલમાં શોના પ્રોડ્યુસર રંજન શાહીએ આ જાણકારી મીડિયા સાથે શેર કરી હતી.

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ શોનો અંત આવશે?
છેલ્લા કેટલાક દિવસોથી સ્ટાર પ્લસનો લોકપ્રિય શો યે રિશ્તા ક્યા કહેલાતા બંધ થવાના સમાચાર આવી રહ્યા છે. ત્યારે શોના પ્રોડ્યુસર રંજન શાહીએ આ વિશે વાત કરી હતી. એક ન્યુઝ રિપોર્ટ પ્રમાણે તેમણે કહ્યું હતું કે- આ શો મારા માટે બાળક જેવો છે.

છેલ્લા ઘણા સમયથી આ શોએ ટોપ 5માં પોતાનું સ્થાન જાળવી રાખ્યુ છે. 15 વર્ષના આ સમયગાળા દરમિયાન આપણે ઘણા ઉતાર-ચઢાવ પણ જોયા છે. ઘણી વખત એવું બન્યું છે કે શોની ટીઆરપી ઘટી ગઈ છે, જેના માટે અમને ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા.

રંજન શાહીએ કહ્યું- અમને પ્રોગ્રામિંગ ટીમ દ્વારા શો રોકવા માટે નોટિસ આપવામાં આવી છે. પરંતુ દરેક વખતે કંઈક નવું થાય છે. જ્યારે તેમને શો ઓફ એર કરવાની નોટિસ મળી છે. ત્યારે શોની ટીઆરપી અચાનક વધી ગઈ છે. એવું લાગે છે કે દર્શકો ક્યારેય ઇચ્છતા નથી કે શો બંધ થાય.

ઘણા સેલેબ્સને ઓળખ આપી
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ એ વર્ષોથી દર્શકોનું માત્ર મનોરંજન જ નથી કર્યું પરંતુ ઘણા સ્ટાર્સને ઓળખ પણ આપી છે. આ શોએ હિના ખાન, કરણ મહેરા, શિવાંગી જોશી અને પ્રણાલી રાઠોડ જેવા ઘણા સ્ટાર્સને લોકપ્રિય બનાવ્યા છે. યે રિશ્તા ક્યા કહેલાતા પછી આ તમામ સ્ટાર્સની કારકિર્દી શરૂ થઈ હતી અને તેઓ તેમની કારકિર્દીમાં સારી રીતે આગળ વધી રહ્યા છે. નિર્માતાએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી દર્શકો શો સાથે જોડાયેલા રહેશે અને શોને પ્રેમ કરવાનું ચાલુ રાખશે ત્યાં સુધી શો ચાલુ રહેશે.

Most Popular

To Top