SURAT

પડોશીએ ક્રેડિટકાર્ડ માંગી તેની ઉપર 12.63 લાખની ખરીદી કરી નાખી

સુરત: કોઝવે રોડ પર રહેતા હીરાની કંપનીમાં કામ કરતા યુવકના એપાર્ટમેન્ટમાં રહેતા પડોશીએ (neighbor) તેના બંને ક્રેડિટકાર્ડ (Credit Card) રૂપિયાની જરૂર હોવાનું કહીને માંગ્યા હતા. અને તેની ઉપર 12.63 લાખની ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. બાદમાં આ રૂપિયા નહીં ચુકવતા ચોકબજાર પોલીસ (Police) સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.કોઝવે રોડ પર ઓમપેલેસમાં રહેતી 38 વર્ષીય ચેતનાબેન નરેન્દ્રભાઈ કલસરીયાએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2018 થી તેમના એપાર્ટમેન્ટમાં રહેતા અને ટાઈલ્સ લગાડવાનું કામ કરતા યોગેશભાઈ મનસુખભાઈ ટાંક અને તેમના પરિવાર સાથે પારીવારિક સંબંધ હતા.

3.90 લાખ ની લોન ઉપાડી હતી
ચેતનાબેન જે ફ્લેટમાં રહે છે તેની હોમ લોનના હપ્તા ચાલું છે. વર્ષ 2022 ફેબ્રુઆરીએ ચેતનાબેનના સાસુનું અવસાન થયું હતું. ત્યારે ચેતનાબેનના પતિને રૂપિયાની જરૂર પડી હતી. એટલે તેમને યોગેશભાઈ પાસે રૂપિયાની માંગણી કરી હતી. યોગેશભાઈ જો તેમની પાસે ક્રેડિટકાર્ડ હોય તો તેમાંથી હપ્તા ભરી આપવાનું કહ્યું હતું. ચેતનાબેનના પતિ પાસે બે ક્રેડિટ કાર્ડ હતા. જેથી યોગેશભાઈએ તેમાંથી બે હપ્તા ભરી આપ્યા હતાં. અઠવાડિયા પછી યોગેશભાઈએ તેમને ધંધાકીય કામથી રૂપિયાથી જરૂર હોવાથી નરેન્દ્રભાઈ પાસેથી તેમના બંને ક્રેડિટકાર્ડની માંગણી કરી હતી. જેના રૂપિયા તેઓ નિયમીત ભરશે તેવો વિશ્વાસ પણ અપાવ્યો હતો. જેથી નરેન્દ્રભાઈએ તેમની પત્ની સાથેનો જોઈન્ટ ઇન્ડસબેંકનો ક્રેડિટકાર્ડ, ઓટીપી અને પાસવર્ડ આપ્યો હતો. ત્યારબાદ 3 એપ્રિલે નરેન્દ્રભાઈને વિદેશ બોત્સ્વાના કામ માટે જતા રહ્યા હતાં. ત્યારબાદ 3 જુલાઈએ યોગેશભાઈએ મોબાઈલ ખરીદવા માટે નરેન્દ્રભાઈ વિદેશ હતા ત્યારે ફોન કરીને તેમનો એચડીએફસી બેંકનો ક્રેડિટકાર્ડ માંગ્યો હતો. ત્યારપછી ચેતનાબેન અને તેમના પતિના મોબાઈલ પર ઇન્ડસબેંકના ક્રેડિટકાર્ડ ઉપર બાકી 3.15 લાખ જેમાં 3.90 લાખ ની લોન ઉપાડી હતી.

ક્રેડિટકાર્ડ કર્મચારીઓએ ઉઘરાણી શરૂ કરી
એચડીએફસી બેંકના ક્રેડિટકાર્ડમાંથી 53 હજાર તથા ટાટા બેંકના ક્રેડિટકાર્ડમાંથી બાકી 1.11 લાખ, બાકીના 1.04 લાખ તથા સ્લાઈસ બેંકના ક્રેડિટકાર્ડ ઉપર બાકી 2.88 લાખ મળી કુલ 12.63 લાખ રૂપિયા તેમના ક્રેડિટકાર્ડનો ઉપયોગ કરીને ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. આ ઉઘરાણી કરવા ક્રેડિટકાર્ડના કર્મચારી ઘરે આવતા યોગેશભાઈને બોલાવ્યા હતા. બાદમાં તેઓ નીકળી ગયા હતા. ક્રેડિટકાર્ડ કર્મચારીઓએ ઉઘરાણી શરૂ કરતા યોગેશભાઈના ઘરે જઈને કહેતા તેઓ પૈસાની વ્યવસ્થા માટે ગયા હોવાનું કહ્યું હતું. બાદમાં જાણવા મળ્યું કે યોગેશભાઈ અને તેમની પત્ની ઘર ખાલી કરીને જતા રહ્યા છે તથા તેમનો ફોન પણ સ્વીચઓફ હતો. જેથી ચોકહજાર પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવામાં આવી હતી.

Most Popular

To Top