Dakshin Gujarat

આમડપોર ગામ પાસે અજાણ્યા વાહન અડફેટે વૃદ્ધનું મોત

નવસારી : નેશનલ હાઇવે (National Highway) નં. 48 ઉપર આમડપોર ગામ (Amadpore village) પાસે અજાણ્યા વાહન અડફેટે વૃદ્ધનું મોત નીપજયાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ (Police) મથકે નોંધાયો છે.મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાના ધારાગીરી ગામે હરકિશનભાઈ દયાળજીભાઈ સુરતી તેમના પરિવાર સાથે રહેતા હતાં. ગત 28મીએ તેઓ સાંજે ચાલવા માટે ગયા હતા. દરમિયાન નેશનલ હાઇવે નં. 48 ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતા તેઓ રસ્તા પર પટકાયા હતાં.

શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ

તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમને વધુ સારવારની જરૂરિયાત જણાતા સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. પરંતુ હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આગળની તપાસ પી.એચ. કછવાહાએ હાથ ધરી છે.

Most Popular

To Top