National

મંત્રીઓ કહે છે રોગચાળો પુરો થવા આવ્યો : નિષ્ણાતો કહે છે સાવધ રહો

DELHI : દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે કોવિડ-19 ( COVID – 19) મહામારી હવે રાજ્યમાં ખતમ થવા તરફ છે અને તે હવે એન્ડેમિક એટલે કે સ્થાનિક સ્તરના દાયરામાં સીમિત થઇ રહ્યું છે. જો કે જૈનનું આ નિવેદન એવા સમયમાં આવ્યું છે જ્યારે દિલ્હી ( DELHI)માં કેસમાં વધારો થઇ રહ્યો છે.

કેન્દ્ર સરકારે જે આઠ રાજ્યો અને કેન્દ્રાશાસિત પ્રદેશોને સાવધાની રાખવા કહ્યું છે તેમાં દિલ્હીનો પણ સમાવેશ થાય છે. જૈને જણાવ્યું હતું કે, અમે માનીએ છીએ કે રોગચાળો (વૈશ્વિક સ્તરે રોગચાળો ફેલાવો) નો સમય પૂરો થવાનો છે અને હવે તે સ્થાનિકના તબક્કે આવી રહ્યો છે. સ્થાનિક તબક્કામાં, રોગ ચોક્કસ ક્ષેત્રમાં મર્યાદિત છે. રોગ સ્થાનિક તબક્કામાં સ્થિર દેખાય છે, પરંતુ કોઈ પણ વસ્તીથી સંપૂર્ણપણે અદૃશ્ય થતો નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને (HARSHVARDHAN) પણ આ મુજબનો અભિપ્રાય ઉચ્ચાર્યો છે પરંતુ નિષ્ણાતો કહે છે કે આવું માની લેવાની જરૂર નથી. ગાફેલ રહેવાથી ભયંકર પરિણામો આવી શકે છે.


જૈને કહ્યું, જેમ કે એચ1એન1 અથવા સ્વાઈન ફ્લૂ છે, જે 8 થી 10 વર્ષ પહેલાં દિલ્હી આવ્યો હતો, તેથી તે સ્થાનિક છે, જે દર વર્ષે આવે છે, પરંતુ બહુ ઓછા કેસ નોંધાય છે. એ જ રીતે, અમે એમ કહી શકતા નથી કે કોવિડ -19 નો રોગ સંપૂર્ણપણે નાબૂદ થયો નથી, પરંતુ થોડા કેસો બાકી રહેશે.ભારતની ટોચની તબીબી સંસ્થાએ પણ સાવચેત રહેવાનું કહ્યું છે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના અધ્યક્ષ ડો. જે.એ.જૈલાલે કહ્યું, મારો મત જુદો છે, ભલે તે રોગચાળો હોય કે સ્થાનિક, તે વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા નક્કી થવું જોઈએ

ભારતમાં સતત બીજા દિવસે કોરોના ( CORONA) સંક્રમણના 18,000થી વધુ નવા કેસ નોંધાયા છે. જેની સાથે દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસની સંખ્યા 1,12,10,799એ પહોંચી ગઈ છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું.તેમજ સક્રિય કેસોમાં સતત પાંચમા દિવસે વધારો નોંધાયો હતો. હાલમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 1,84,523 થઈ ગઈ છે. જે કુલ ચેપના 1.65 ટકા છે.
.
દેશમાં એક દિવસમાં કુલ 18,711 નવા કેસ નોંધાયા હતા. દેશમાં દરરોજ 100 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,57,756 થઈ ગઈ છે. દેશમાં કોરોનાને મહાત આપનાર લોકોની સંખ્યા વધીને 1,08,68,520 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુદર 1.41 ટકા છે.
આઇસીએમઆર અનુસાર, 6 માર્ચ સુધી કુલ 22,14,30,507 સેમ્પલ ( SAMPLE) નું અને શનિવારે 7,37,830 સેમ્પલનું ટેસ્ટિંગ ( TESTING) કરવામાં આવ્યું હતું. દેશમાં નવા 100 મૃત્યુમાં મહારાષ્ટ્રના 47, કેરળના 16 અને પંજાબના 12 લોકોનો સમાવેશ થાય છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,57,756 મૃત્યુ નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્રમાંથી 52,440, તમિળનાડુમાંથી 12,517, કર્ણાટકથી 12,359, દિલ્હીથી 10,919, પશ્ચિમ બંગાળથી 10,277, ઉત્તર પ્રદેશથી 8,729 અને આંધ્ર પ્રદેશથી 7,173 લોકોના મૃત્યુ થયા હતા. આરોગ્ય મંત્રાલયે ભાર મૂક્યો હતો કે 70 ટકાથી વધુ મૃત્યુ કોમોર્બિડીટીને કારણે થયા છે

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top