SURAT

સુરતનાં ગવીયરની પરિણીતાએ પ્રેમલગ્નના પ્રથમ વર્ષે જ ફાંસો ખાય જીવન ટૂંકાવ્યું

સુરત: પ્રેમ લગ્નના (Love Marriage) પહેલા જ વર્ષે યુવતીએ ફાંસો (Suicide) ખાય જીવન ટૂંકાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. એટલું જ નહીં પણ આપઘાત પહેલા કરીના પોતાના પિયરમાં માતા-પિતા ને મળીને સાસરે આવ્યા બાદ આવું અંતિમ પગલું ભર્યું છે. પિતરાઈ ભાઈએ કહ્યું હતું કે મગદલ્લા પોર્ટ પર નોકરી (Job) કરતો હોવાનું કહી બહેન ને પ્રેમજાળમાં ફસાવી કિશને પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ બહેનને માનસિક ત્રાસ અપાતો હતો. પોલીસ (Police) પાસે અમેં ન્યાય ની અપીલ કરીશું.

  • કરીનાને જૂઠું બોલી પ્રેમજાળમાં ફસાવાય હતી
  • યુવક લગ્ન બાદ કરીનાને પિયરેથી રૂપિયા લઈ આવવા દબાણ કરી માનસિક ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ
  • કરીના અંતિમ પગલું ભરવા પહેલા પિયરમાં માતા-પિતા ને મળી હતી
  • લગભગ 3 મહિના સુધી કરીનાના પિયર પક્ષવાળા તેની સાથે અબોલાની જેમ રહ્યા હતા

નીરવ (પિતરાઈ ભાઈ) એ જણાવ્યું હતું કે કરીના મારી પિતરાઈ બહેન છે એને બે ભાઈ અને માતા-પિતા છે. પરિવારમાં એકની એક લાડકી બહેન અને દીકરી હતી. એજ્યુકેટેડ હતી. જોકે સોશિયલ મીડિયાના માધ્યમથી કિશનના સંપર્કમાં આવ્યા બાદ આવું પગલું ભરી બેઠી હતી. કરીના એભાગીને લગ્ન કરતા પરિવાર તૂટી ગયું હતું. લગભગ 3 મહિના સુધી અબોલાની જેમ રહ્યા હતા. જોકે એક ની એક દીકરી અને બે ભાઈઓની લાડકી હોવાથી એને સ્વીકારી ઘરે બોલાવતા થઈ ગયા હતા.

વધુમાં જણાવ્યું હતું ઘરે આવર-જવર બાદ કરીના ઘણી વાર માતાને કહેતી કે કિશન કોઈ કામ નથી કરતો અને મને મગદલ્લા પોર્ટ પર કામ કરતો હોવાનું કહી લગ્ન કર્યા છે. હવે પિયરેથી રૂપિયા લઈ આવવા દબાણ કરે છે. ઘરમાં પણ કામકાજને લઈ માનસિક ત્રાસ આપે છે. આવી સામાન્ય ફરિયાદ કરીના પિયરમાં કરતી હતી.

Most Popular

To Top