National

એક્સિડેન્ટ કરીને ભાગી જવું ભારે પડશે!, હિટ એન્ડ રન કેસમાં હવે આરોપીને થઈ શકે છે આટલા વર્ષની સજા

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ભારતીય કાયદાઓમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. આ દરખાસ્તો હેઠળ હવે વાહન ચાલક હીટ એન્ડ રન (Hit and run) કેસમાં સ્થળ પરથી ભાગી શકશે નહીં. નવી જોગવાઈઓ અનુસાર ડ્રાઈવરે પોલીસને (Police) જાણ કરવાની રહેશે. અન્યથા જો પકડાય જશે તો તેને ઓછામાં ઓછી દસ વર્ષની જેલ થઈ શકે છે. હાલ હીટ એન્ડ રન કેસમાં કોઈને કચડી નાંખ્યા પછી પણ આરોપી ડ્રાઈવરને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જાય છે, પરંતુ અકસ્માતમાં ઈજાગ્રસ્ત કે મૃતકના સ્વજનો સારવાર માટે પોલીસ અને હોસ્પિટલના ચક્કર લગાવે છે. હીટ એન્ડ રનનાં ઘણાં કેસોમાં દોષી સાબિત થયા બાદ પણ દંડ ભરીને જ આરોપીને છોડી દેવામાં આવે છે.

કાયદામાં આ છે ફેરફાર
ક્રિમિનલ કાયદામાં ફેરફારને લઈને પ્રસ્તાવિત ઈન્ડિયન જસ્ટિસ કોડ 2023માં જો કોઈ વ્યક્તિની બેદરકારીને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો આરોપીને મુક્ત થવું આસાન નહીં હોય. આઈપીસીની કલમ 104 હેઠળ જો હીટ એન્ડ રનમાં કોઈનું મૃત્યુ થાય છે અથવા બેદરકારીનાં કૃત્યનાં કારણે કોઈનું મૃત્યુ થાય છે તો આવા કેસમાં આરોપીને 2 વર્ષની કેદ અથવા દંડ અથવા બંને થઈ શકે તેવો કાયદો હતો. ત્યારે હવે આ કેસમાં નિયમ બદલાયા છે.

હાલના પ્રસ્તાવ મુજબ આ કેસમાં આરોપીને ઓછામાં ઓછી સાત વર્ષની જેલની સજા અને દંડ ભરવો પડશે. આ ઉપરાંત અન્ય કેસ કે જેમાં આરોપી ઘટના સ્થળેથી નાસી જાય અથવા ઘટના પછી તરત જ પોલીસ અધિકારી અથવા મેજિસ્ટ્રેટને ઘટનાની જાણ ન કરે તો તેને જેલ અને દંડ બંનેની સજા થશે. તેની અવધિ દસ વર્ષ સુધીની હોઈ શકે છે અને આ કેસમાં આરોપી પર દંડ પણ લાદવામાં આવી શકે છે.

હીટ એન્ડ રન કેસનાં નવા કોડની કલમ 104માં બે બાબતો નોંધવામાં આવી
ભારતીય દંડ સંહિતાની કલમમાં કોઈની “બેદરકારી” નાં કારણે મૃત્યુ થયું હોય તેવા કેસમાં આરોપીને સજામાં વધારો થશે. નવા કોડની કલમ 104માં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિની બેદરકારીના કારણે કોઈનું મૃત્યુ થાય છે, તો તેનાથી સંબંધિત નવા કોડની કલમ 104માં બે બાબતો નોંધવામાં આવી છે.

(1) જો કોઈ વ્યક્તિ બેદરકારીથી અથવા કોઈપણ રીતે દોષિત હત્યામાં સામેલ ન હોય તો કોઈ વ્યક્તિના મૃત્યુનું કારણ બને છે, તો તેને સાત વર્ષ સુધીની મુદત માટે કોઈપણ વર્ણનની કેદની સજા કરવામાં આવશે, અને તે દંડને પણ પાત્ર રહેશે.

(2) જે કોઈ વ્યક્તિ, બેદરકારીથી અથવા દોષિત હત્યાના કૃત્ય દ્વારા, કોઈ વ્યક્તિના મૃત્યુનું કારણ બને છે અને ઘટના સ્થળેથી ભાગી જાય છે અથવા ઘટના પછી તરત જ પોલીસ અધિકારી અથવા મેજિસ્ટ્રેટને ઘટનાની જાણ ન કરે, કરે છે, તેને જેલની સજા થશે. તેને દસ વર્ષ સુધી લંબાવી શકે તેવી મુદત માટે કોઈપણ વર્ણનની કેદની સજા થશે અને તે દંડને પાત્ર પણ રહેશે. હિટ એન્ડ રન કેસમાં આ જોગવાઈ પસાર થશે તો લોકો તેમની બેદરકારીના પરિણામો માટે જવાબદાર રહેશે.

Most Popular

To Top