Vadodara

હરણી બોટ કાંડના આરોપી માતા–પુત્રીના જામીન ના મંજૂર

હરણી બોટ કાંડ માં ઝડપાયેલા 20 આરોપી પૈકી એક આરોપી એવા નૂતન પરેશ શાહ અને ડૉ. વૈશાખી પરેશ શાહ ના જામીન કોર્ટ દ્વારા ના મંજૂર કરવામાં આવ્યા હતા.
જાન્યુઆરી મહિનામાં ઘટેલી ગોઝારી ઘટના એવી હરણી બોટ કાંડ વિશે હજી પણ સમગ્ર શહેર જિલ્લામાં ચર્ચા ચાલી જ રહી છે ત્યારે તેમાં જવાબદાર એવા 20 આરોપીઓને ઝડપી પાડીને તેઓને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. જોકે પોલીસ દ્વારા માહિતી મેળવવાના હેતુથી તમામના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા અને બાદ તમામના રિમાન્ડ હવે પૂરા થઈ ગયા છે ત્યારે પોલીસ દ્વારા પણ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી હતી.ચાર્જશીટ દાખલ થયા બાદ કોર્ટ કાર્યવાહી શરૂ કરતા પહેલા જ 20 પૈકીના એક આરોપી એવા નુતન પરેશ શાહ અને દીકરી ડૉ. વૈશાખી પરેશ શાહ એ કોર્ટ સમક્ષ જામીન અરજી મૂકી હતી જોકે આ બાબતે વિક્ટીમ તરફે એટલે કે વાલી તરફે હિતેશ ગુપ્તા દ્વારા ધારદાર દલીલો કરીને તેમજ કોર્ટમાં મોરબી કાંડ નો ચુકાદો વાંચી સંભળાવીને એક ઉદાહરણરૂપે અન્ય એવા બનાવને ટાંકીને ધારદાર દલીલો કરતા આરોપી નૂતન પરેશ શાહ ના જામીન કોર્ટે ના મંજૂર કર્યા હતા

Most Popular

To Top