Madhya Gujarat

મહુધામાં પત્ની સામે જ પતિ પરસ્ત્રી સાથે €ભાગી ગયો

નડિયાદ: મહુધાના યુવકે પોતાના આડાસંબધમાં પત્ની પર ત્રાસ ગુજાર્યાની બિના સામે આવી છે. પરસ્ત્રીના મોહમાં 12 વર્ષ જૂના લગ્ન જીવનમાં દરાર પડી છે. પત્નીની હાજરીમાં જ પતિ બીજી સ્ત્રીનો હાથ પકડી લઇને ભાગી ગયો હતો. આ મામલે મહિલા પોલીસમાં ફરિયાદ નોધાવી છે. મહુધામાં સાસ્તાપુરમાં 34 વર્ષીય પરણીતા નિશાબેન હરનેશકુમાર પટેલ જે હાલ શિક્ષિકા તરીકે નોકરી કરે છે, તે છેલ્લા દસેક દિવસથી નડિયાદ શાંતિકુંજ રેસિડેન્શી હિન્દુ અનાથ આશ્રમ સામે પોતના પિયરમાં માતા સાથે રહે છે. વર્ષ 2011માં તેણીના લગ્ન મહુધાના સાસ્તાપૂરમાં રહેતા હરનેશ સાથે થયા હતા.ને પરણીતા સુખમય જીવન જીવતી હતી જેથી તેણીને બે સંતાન હતા.

જોકે લગ્નના છ માસ થતાં જ પરણીતાને હરનેશના અન્ય સ્ત્રી સાથે આડા સબંધ હોવાનું માલુમ પડ્યું હતું.જેથી નિશાબેન અને પતિ વચ્ચે અવારનવાર તકરાર થતી હતી.પરંતુ પર સ્ત્રીના મોહમાં  ડૂબેલો હરનેશ સુધરવા માંગતો ન હતો. તેમજ પત્ની સાથે અવારનવાર ઝગડા કરી પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. પરણીતા 11 વર્ષનો દિકરાને એક 5 વર્ષની દીકરીનું ભવિષ્યબગડે નહીં તે માટે તમામ ત્રાસ મૂંગા મોઢે સહન કર રહી હતી. જેથી હરનેશની હિંમત દિવસે દિવસે વધતી હતી. 26 સપ્ટેમ્બરે પતિના આડા સબંધને લઇ પતિ પત્ની વચ્ચે ઝગડો થતા પતિ પોતાની પત્નીને લઇ આણંદ ખાતે આવેલા લાંભવેલ મંદિરે લઇ ગયો હતો.

જ્યાં પતિએ જેની સાથે આડાસબંધ હોય એ સ્ત્રીને પણ ત્યા બોલાવી હતી અને પોતાની પત્નીની હાજરીમાં યુવતીનો હાથ પકડી હરનેશ ભાગી ગયો હતો. આ ઘટના બાદ પત્ની તથા ઘરના સભ્યો તેમજ વડીલોએ ભેગા થઈ આ મામલે સમાધાન કરાવવાનો પ્રયાસ કાર્યો હતો. પરંતુ સમાધાન થયું ન હતું. જેથી પરણીતાના કાકા પરણીતાને નડિયાદ ખાતે પિયર મૂકી આવ્યા હતા. જે બાદ તારીખ 28 સપ્ટેમ્બરના રોજ સવારના સમયે પતિ પરણીતાના ઘરે આવી ગમે તેમ અપશબ્દો બોલી પત્ની સાથે હાથ ચાલાકી કરતો હતો. જેથી પત્નીએઆ સમગ્ર બાબતે ન્યાય મેળવવા મહિલા પોલીસ સ્ટેશન ખાતે હરનેશ સામે ફરિયાદ નોધાવી છે.

Most Popular

To Top