Entertainment

અક્ષયની ‘કટપૂતલી’ પ્રેક્ષકોને કેટલી નચાવશે?

અક્ષયકુમાર હમણાં ફિલ્મો બાબતે માર ખાય રહ્યો છે ત્યારે તેની ‘કટપૂતલી’ ફિલ્મ સીધી ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થવાની છે. આ એક ક્રાઇમ થ્રીલર ફિલ્મ છે જે ડિઝની પ્લસ હોટસ્ટાર પર બીજી સપ્ટેમ્બરે રજૂ થશે. આ ફિલ્મનું નામ ‘મિશન સિન્દ્રેલા’ હતું પણ હવે ‘કટપૂતલી’ તરીકે આવશે. આ ફિલ્મના ફર્સ્ટલુકમાં અક્ષય ડાયલોગ મારે છે, ‘યે ખેલ પાવર કા નહી, માઇન્ડ કા હૈ ઔર ઇસ માઇન્ડ ગેમમેં આપ ઔર મેં સબ કટપૂતલી હૈ.’ અક્ષય સાથે સરગુન મહેતા છે. અક્ષય તો આ ફિલ્મમાં પોલીસ સબ ઇન્સ્પેકટર બન્યો છે જેણે ટિનેજ છોકરીના સિરીયલ કિલરને જેર કરવાનો છે. આ જેકી ભગવાનીની ફિલ્મ છે. રંજીત તિવારી તેનો દિગ્દર્શક છે.

આ ફિલ્મ તમિલ   બ્લોક બસ્ટર ‘રાતસાસન’ની રિમેક છે. જેકી ભગવાની નિર્માતા છે એટલે રકુલ પ્રીતસીંઘ હીરોઇન હોય તે નકકી છે. અક્ષયકુમારે શું સલામત રસ્તો લીધો છે? તમિલ બ્લોક મસ્ટરની રિમેક હોય તો થિયેટરમાં કેમ નહીં? શું ‘રક્ષાબંધન’ની નિષ્ફળતા નડી રહી છે? તેણે જોકે એ નિષ્ફળતા વિશે કહ્યું છે કે લોકો શું માંગે છે તે માટે સમજવું જોઇએ. હું તેમનો વાંક કાઢતો નથી. મસૂરી અને યુકેમાં ફિલ્માવાયેલી ‘કટપૂતલી’ ફરી સફળ જાય તેવી તે આશા રાખે છે. ‘બેલ બોટમ’, ‘બચ્ચન પાંડે’, ‘સમ્રાટ પૃથ્વીરાજ’ અને ‘રક્ષાબંધન’ની નિષ્ફળતા પછી તે થિયેટરથી હમણાં ડરી ગયો છે. જોકે તે એકલો જ નહીં, હમણાં તો રણબીર કપૂર, આમીરખાનની ફિલ્મ પણ નિષ્ફળ ગઇ છે. જો ‘કટપૂતલી’ ચાલી જશે તો ‘રામસેતુ’, ‘સેલ્ફી’, ‘ઓ માય ગોડ-2’ ફિલ્મને કયાં રજૂ કરવી તે નકકી કરશે.

Most Popular

To Top