Madhya Gujarat

ગુલબાર ગામે અનાજના વેપારી પર બે શખ્સો દ્વારા ફાયરિંગ કરાયું

દાહોદ: ગરબાડા તાલુકાના ગુલબાર ગામે નીમચ ઘાટી તરફ તા.૨૨ ના રોજ  મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના  રાણાપુર ગામના એક અનાજના વેપારી તથા તેમની સાથે પોતાનો માણસ એમ બંને જણા એક મોટરસાયકલ પર સવાર થઈ પસાર થઈ રહ્યા હતા.

તે સમયે એક મોટરસાયકલ પર આવેલ બે અજાણ્યા ઈસમોએ આ વેપારી પર બે રાઉન્ડ ગોળીબાર કરતા વેપારીને પીઠના ભાગે ગોળી વાગતાં  ગંભીર ઇજાગ્રસ્ત વેપારીને ગરબાડા પોલીસ દ્વારા દાહોદના એક ખાનગી દવાખાનામાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે આ ગોળીબાર કયા કારણોસર કરવામાં આવ્યું તે નું સાચું કારણ હાલ જાણી શકાયું નથી પરંતુ પોલીસે આ દિશામાં તપાસનો ધમધમાટ આરંભ કરી દીધો છે ત્યારે બીજી તરફ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે

  મધ્ય પ્રદેશ ના ઝાબુઆ જિલ્લા ના રાણાપૂર ગામે રહેતો અનાજ ના વેપારી માણેકલાલ ઉકરજી રાઠોડ અને પોતાનો માણસ કિલુભાઈ બારીયા આ બંને જણા આજરોજ વહેલી સવારે મધ્ય પ્રદેશ અને ગુજરાતની બોર્ડર એવી  દાહોદ જિલ્લાના ગરબાડા નિમચ ઘાટી પરથી મોટર સાયકલ પર સવાર થઈ પસાર થઇ રહ્યા હતા.

વેપારી માણેકલાલ રાઠોડ  મોટર સાયકલ ની પાછળ બેઠેલા હતા અને કિલુભાઇ બારીયા મોટરસાયકલ ચલાવી રહ્યા હતા. આ બંને રાણાપુર થી નીમચ્ જઈ રહ્યા હતા આ સમયે ગરબાડામાં ગુલબાંર ગામે એક મોટર સાઈકલ પર સવાર થઈ બે વ્યક્તિઓ જેમાં એક વ્યક્તિ એ હેલ્મેટ પેહરેલું હતું અને બીજા એ મોઢા પર રૂમાલ બાંદ્યો હતો.

જોકે આ બે અજાણયા ઈસમો માથી એક ઈસમે પોતાની પાસે રાખેલું બંદૂક વેપારી માણેકલાલ સામે તાકી પેહલા પાછળથી એક રાઉન્ડ ગોળીબાર કર્યો અને ત્યારબાદ મોટર સાયકલ આગળ લાવી સામેથી ગોળીબાર કર્યો હતો જેમાં પાછળ બેઠેલા વેપારીને પાછળના પીઠના ભાગે ગોળી વાગતાં જ સ્થળ પર લોહી લુહાણ હાલતમાં પડી ગયા હતા

ચાલુ મોટર સાયકલ પરથી મોટર સાયકલ ચાલક અને વેપારી ને રોડ પર પડતા મોટરસાઇકલ ચાલક કિલુભાઈને થોડીવાર કઈ સમજ પડી ન હતી તેઓ ઇજાગ્રસ્ત હતા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top