Gujarat

પીએમ મોદી, રાષ્ટ્રપતિ અને અમિત શાહ ગુજરાત આવશે

ગાંધીનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રિય ગૃહ તથા સહકાર મંત્રી અમીત શાહ આવતી કાલથી ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી રહ્યાં છે.
આ ઉપરાંત પીએમ (PM) નરેન્દ્ર મોદી આગામી તા.19મી એપ્રિલે જામનગર (Jamnagar) ખાતે આવી રહ્યાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (who) દ્વારા વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જામનગરમાં સ્થાપવામાં આવનાર છે તેનુ ભૂમિપૂજન નરેન્દ્ર મોદીના (Narendra Modi) હસ્તે કરવામાં આવશે.

રાષ્ટ્રપિત રામનાથ કોંવિદ આગામી તા.10મી એપ્રિલે પોરબંદર પાસે માધવપુરના પંચ દિવસીય મેળાના સમારંભમાં હાજરી આપનાર છે. આ સ્થાને ભગવાન શ્રી કૃષ્ણ તથા ઋકમણીજીના વિવાહ થયા હતાં. જયારે આવતીકાલથી બે દિવસ માટે કેન્દ્રિય ગૃહ તથા સહકાર મંત્રી અમીત શાહ ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ ગુજકોમાસોલના ગાંધીનગરમાં બનેલા નવા ભવનનુ લોકાર્પણ કરશે.

Most Popular

To Top